________________
૪૯ જ
s
નોકર અર્જુન
શ્રેષ્ઠી પુરંદર ભટ્ટને ત્યાં તું નોકર તરીકે રહ્યો છે અને શ્રેષ્ઠી પત્ની નર્મદા સાથે તું આડો સંબંધ બાંધી બેઠો છે. પુરંદર ભટ્ટના કાને ઊડતી ઊડતી આ વાત આવી તો છે પણ સ્વપત્ની પ્રત્યેના અતિરાગના કારણે એમણે એ વાતને બહુ વજન આપ્યું નથી; પરંતુ એક દિવસ પુરંદર ભટ્ટને એમની માતાએ ચેતવ્યો છે.
‘બેટા ! તારી પત્નીની ચાલચલગત બહુ સારી નથી. તારે એના પર ખાસ જાપ્તો રાખવાની જરૂર છે? બેત્રણ વખત માતા દ્વારા જ્યારે આ ચેતવણી મળી છે ત્યારે પુરંદર ભટ્ટે વિચાર્યું છે કે “આમ તો સાસુ-વહુને કાયમનું વૈર જેવું જ હોય છે છતાં મારી માતા ઈર્ષાળુ નથી. આજ સુધી એણે મને મારા હિતની જ સલાહ આપી છે અને વળી મારી પત્ની કામને વશ પડી હોય એ બની શકે છે. જોઉં તો ખરો.”
આમ વિચારી રાજાના કામે બહાર જવાનું બહાનું કાઢી પુરંદર ભટ્ટ ત્રણ દિવસ માટે ઘરની બહાર નીકળી તો ગયા છે પરંતુ એ જ રાત્રે ઘરના પાછલા બારણેથી એ ઘરમાં દાખલ થઈને શયનગૃહ પાસે આવ્યા છે અને અંદર ડોકિયું કરીને જોયું તો તને નર્મદા સાથે સૂતેલો જોયો છે.
અર્જુન ! નર્મદા સાથે સૂતેલા તમને જોઈને ક્રોધાવિષ્ટ બની ગયેલા પુરંદર ભટ્ટે તારું ડોકું ધડથી અલગ કરી દેવા તલવાર ઉગામી દીધી.