________________
નજરાણું ધરીને શ્રેણિક રાજાના દરબારમાં રાજા પાસે વાવનિર્માણની
અનુમતિ માગી રહ્યા છે નંદ મણિયાર !
કાર્ય થઈ ગયું સંપન્ન અને લોકોનાં ટોળેટોળાં આવવાના શરૂ થઈ ગયા એ વાવડીઓની મુલાકાતે. વાવડીઓની ભવ્યતા નિહાળતાની સાથે જ સહુનાં મુખમાંથી નીકળી રહ્યા છે તમારી ભરપેટ પ્રશંસા કરતા શબ્દો અને એ શબ્દો સાંભળીને તમને એમ લાગી રહ્યું છે કે “જન્મારો મારો થઈ ગયો છે સફળ ! આખી રાજગૃહીમાં મારા જેવું કોઈ જ ઉદાર નથી. બધાય મારી હેઠ જ છે” એમાં,
એક દિવસ અચાનક તમારા શરીરમાં ઉત્પન્ન થઈ ગયા છે સોળ રોગો. પારાવાર વેદના વચ્ચે તમારું મન વાવડીના ધ્યાનમાં જ લીન છે. એ વાવડીમાં રહેલા દેડકાઓ તમને લાગી રહ્યા છે ભારે નસીબદાર અને એ જ અધ્યવસાયમાં સમાપ્ત થઈ ગયું છે તમારું જીવન અને તમારી પોતાની જ વાવડીમાં દેડકા તરીકે તમે થઈ ગયા છો ઉત્પન્ન !
પ્રભુ! “જ્યાં આસક્તિ ત્યાં જ ઉત્પત્તિ' ના ગણિતને આંખ સામે રાખ્યા વિના જો હું જ્યાં ત્યાં અને જેના તેના પર આસક્તિ કરતો રહ્યો તો મારી હાલત પણ આવી જ થવાની ને? એક વિનંતિ કરું તને? મારું મન તને છોડીને અન્ય કોઈના ય પર આસક્ત ન થઈ જાય એવું તું મને વરદાન આપી દે.
૯૫