________________
કામાસક્ત રૂપસેન
બંગલાદેશના રાજા વાસુદત્તનો તું ચોથા નંબરનો પુત્ર. નામ તારું રૂપસેન. એકવાર તું પહોંચ્યો છે પૃથ્વીભૂષણ નામના નગરમાં. ત્યાંના રાજવી કનકધ્વજની પુત્રી કે જેનું નામ સુનંદા છે એ રાજમહેલના ગવાક્ષમાં ઊભી ઊભી નગરચર્યા નિહાળી રહી છે અને અચાનક એની નજર રસ્તાના નાકે રહેલ એક દુકાન પર પાન લેવા ઊભેલા તારા પર પડી છે અને તારા રૂપદર્શને એ કામવિહ્વળ બની ગઈ છે.
પોતાની વિશ્વાસુ દાસીને એણે તુર્ત તારી પાસે મોકલી છે અને કહેવડાવ્યું છે કે “કૌમુદી મહોત્સવના પ્રસંગ પર આપ રાજમહેલના પાછળના ભાગે આવી જજો.’
th 'A'
'
‘દાસી ! તું નીચે જા અને તે યુવાનને મારો સંદેશો આપ કે કૌમુદી મહોત્સવના પ્રસંગે તે મને રાજમહેલમાં આવીને મળે' રૂપસેન!
તમારા પર મોહાસક્ત બનેલી સુનંદાએ દાસીને આ આજ્ઞા કરી છે. રાજકુમારીનો સંગ મળવાના ખ્યાલે તું તો પાગલ પાગલ બની ગયો છે. ક્યારે કૌમુદી મહોત્સવ આવે અને ક્યારે હું રાજકુમારી પાસે પહોંચી જાઉં ?' આ વિચારોમાં ખોવાઈ ગયેલો તું જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહ્યો છે અને આખરે દિવસ આવી જ ગયો. તું બની-ઠનીને ઘરની બહાર નીકળી રાજમહેલની દિશા તરફ ચાલવા
૬૦