________________
મહાવ્રતોનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું’
અમ ૫00 શિષ્યોના ગુરુ તમારી આ હાલત ?'
“હા” ‘જીભ શા માટે હલાવી રહ્યા છો ?' ‘તમને બોધપાઠ આપવા”
શું?' ‘જિલ્ડાના સ્વાદના કારણે હું સંયમજીવનથી ભ્રષ્ટ થયો છું. રસગારવનો શિકાર બનેલો હું શાતાગારવ અને ઋદ્ધિગારવનો પણ શિકાર બન્યો છું અને અહીં જન્મી ગયો છું. મારે તમને એટલું જ જણાવવું છે કે મારા માર્ગ તમારે ન આવવું હોય તો તમારી જિન્હાને તમો સહુ વશમાં રાખજો . સંયમજીવનના રસ-કસને રફેદફે કરી નાખતા રસભરપૂર ભોજનનાં દ્રવ્યોથી જાતને લાખો યોજન દૂર જ રાખજો”
મારા માર્ગે તમારે ન આવવું હોય તો તમારી જિલ્ડાને વશમાં રાખજો !' યુગપ્રધાન આચાર્ય આર્યમંગુ !
યક્ષના અવતારમાં શિષ્યોને આ હિતશિક્ષા આપતા તમે કેટલા બધા વ્યથિત થઈ ગયા છો ! પ્રભુ, જો રસલોલુપતાના પાપે યુગપ્રધાન આચાર્યની પણ આ કફોડી સ્થિતિ થતી હોય તો મારા જેવા નપાવટની હાલત તો શી થશે? તને એક વિનંતિ કરું? જે પુણ્યનો ઉદય મારા આત્મા માટે ઘાતક બની શકતો હોય એવા પુણ્યોદયથી તું મને દૂર જ કરી દે. ઢાળ જ નહીં મળે તો પાણી નીચે જશે જ શી રીતે?