________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળાંક આપે છે. પર્યુષણનો પ્રાણ ક્ષમાપના છે.“આઠ દિવસ સુધી આરાધના કર્યા પછી ક્ષમામાં પ્રાણ હોવો જોઈએ. દુષ્ટ અને અપરાધી આત્મા પ્રત્યે પણ ક્ષમા દાખવો.”
દરરોજ પરમાત્માના દર્શન, પૂજા કે અન્ય ધર્મ ક્રિયા કર્યા પછી તમારા કષાયો મંદ પડ્યા છે કે નહી, એનું અવલોકન કરો. શુદ્ધ બનશો તો સિદ્ધ અવસ્થા મળશે. શુદ્ધ બનાવા માટે પર્યુષણ આવે છે, એની આરાધના કરીને મંગલ પ્રતિક્રમણ કરો. એ રહી જશે તો કષાયોનો અનુબંધ થશે. પરમાત્માનું જીવન દર્શન તમારા પર બહુ ઉપકાર કરે છે. અઢાઈ ન કરી શકો તો છેવટે અઠ્ઠમના તપ તો અવશ્ય કરો, શક્તિ ન હોય તો આયંબિલ કે એકાસણું કરીને પણ નાનું તપ તો અવશ્ય કરો અને આત્માની શુદ્ધિ તરફ પ્રયાણ કરો એ જ ભાવના સાથે વિરમું છું.
પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગર સુરીશ્વરજી મ. સા. ની
વિશ્વમાં જિનશાસનનાં ગૌરવમાં અભિવૃદ્ધિ થાય તેવું
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબાતીર્થ તથા વિશ્વનું અજોડ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની
સ્થાપના તથા અદ્વિતીય ગુરુમંદિરની સ્થાપના.
૩૯
For Private And Personal Use Only