________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૨
જૈન રામાયણ એમ બાર હજાર વર્ષનું એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. બિચારા દેવોનો શો દોષ?
સંસારી જીવનોને આવા જ કર્મવિપાક ભોગવવાના હોય છે. દેવો તો સ્નેહની પરીક્ષા કરવા આવ્યા હતા અને લમણનું મૃત્યુ થઈ ગયું. તે નરકમાં ચાલ્યો ગયો.”
શ્રી રામભદ્ર મહામુનિનો વૈરાગ્ય તીવ્ર થયો. જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયા પછી સંસારની ઘટનાઓનું અવલોકન થાય તે, વૈરાગ્યને વધારનારું થાય છે. કર્મોના દારુણ વિપાકો જોઈને, હૃદય સંસાર પ્રત્યે સાવ નિર્ભય થઈ જાય છે.
“અહો, આ સંસારનું આવું દારુણ સ્વરૂપ છે? વાસુદેવ જેવાને પણ નરકમાં પછાડી દે? તો પછી આ સંસારના સુખોથી શું? સંસારના વૈભવ અને વિલાસોથી શું? સર્યું આવા સંસારથી મુક્ત થવાનો જ પુરુષાર્થ કરું..”
મહામુનિનો અંતરાત્મા આત્માની મુક્તિ માટે દઢ સંકલ્પવાળો બની ગયો. તે તપ અને સમાધિમાં લીન બની ગયો.
જંગલોમાં, ગિરિ-ગુફામાં તેમણે તપ આદર્યું. બે-બે ઉપવાસના પારણે તપ શરૂ કર્યું. તેમણે દિનરાત સમાધિમાં રહેવા માંડ્યું. તેઓ પારણાના દિવસે ભિક્ષા માટે નગરમાં જવા લાગ્યા.
છઠ તપ (બે ઉપવાસ) ના પારણે ભિક્ષા માટે રામભદ્ર મહામુનિ “સ્વજનસ્થલ નગરમાં આવ્યા.
શ્રી રામભદ્ર મહામુનિ! જાણે ચન્દ્ર પૃથ્વી પર ઊતરી આવ્યો! અભુત રૂપ અને અપાર સૌમ્યતા! અદ્વિતીય આકર્ષણ અને ગજબ પુણ્યપ્રક શ્રી રામભદ્ર મહામુનિને નગરમાં પધારેલા જોઈ, નગરવાસીઓ હર્ષથી નાચી ઊઠ્યા. હજારો સ્ત્રી-પુરુષો સામે આવ્યાં. તેઓ સૌ મહામુનિની સ્તુતિ-પ્રાર્થના કરીને, આનંદોત્સવ મનાવવા લાગ્યાં. પોતપોતાના ઘરના દ્વારે, ભિન્નભિન્ન વાનગીઓથી ભરપૂર ભોજનના થાળ લઈ, નગરજનો ઊભા રહ્યા.
નગરજનોનો હર્ષોન્માદ એવો હતો કે હાથીઓએ આલાનખંભ ઊખેડી નાંખીને નાચવા માંડ્યું! અશ્વોએ ઊંચા કાન કરીને હણહણાટ કરવા માંડ્યાં. સ્પન્દનસ્થલ નગરની ગલગલીમાં હર્ષ રમણે ચડ્યો.
શ્રી રામભદ્ર મહામુનિને આવી ભિક્ષા ક્યાં જોઈતી હતી? તેઓ તો દરેક ઘરના
For Private And Personal Use Only