________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૯૨૭
હવે આપણે આપણું મુખ બતાવી નહીં શકીએ. અહો, આપણે કેવું હીન મૃત્ય કરી બેઠા?’
ઇંદ્રજિતના પુત્રો અને સુંદના પુત્રો ઘેર ન ગયા. તેમણે માર્ગમાં જ એક મહામુનિને જોયા. ‘અતિવેગ' નામના એ મહામુનિ પાસે જઈને ચારિત્ર સ્વીકારી લીધું અને શ્રમણ બની ગયા.
કેવું આશ્ચર્યકારી પરિવર્તન
‘કેવા પશ્ચાત્તાપ અને કેવું પાપ-પ્રાયશ્ચિત્ત!
ગયા હતા અયોધ્યા પર વિજય મેળવવા અને શ્રી રામનો વધ કરવા! દેવોનું આગમન જોયું ને કાકા બિભીષણને જોયા. બસ, યુદ્ધ યુદ્ધને ઠેકાણે રહ્યું અને પાછા વળી ગયા ઘેર પણ ન પહોંચ્યા અને ચારિત્રી બની ગયા!
શ્રી રામે ૨થ પાછો વાળ્યો, પરંતુ તેઓ મહેલમાં ન ગયા, નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ પહોંચ્યા. તેમને ઉઘાન ગમી ગયું. ઉદ્યાનમાં પણ મહેલ હતો, તેઓ ત્યાં રોકાઈ ગયા.
જટાયુદેવે લક્ષ્મણજીના મૃતદેહને જોયો. શ્રી રામનો સ્નેહોન્માદ જોયો. દેવે શ્રી રામને પ્રતિબોધવાનો નિર્ણય કર્યો. પૂર્વભવનો સ્નેહ હતો ને! શ્રી રામનું માનસિક દુઃખ જોઈ, જટાયુદેવને પણ દુઃખ થયું. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ને પણ પ્રાર્થના કરી કે ગમે તેમ કરીને પણ શ્રી રામનો મોહોન્માદ દૂર કરો.
જટાયુદેવે સહુને આશ્વાસન આપ્યું અને પોતાના પ્રયત્નો આરંભી દીધા.
એક દિવસ શ્રી રામ ઉદ્યાનમાં આવેલા જલકુંડ પાસે બેસી, લક્ષ્મણજીના મૃતદેહને સ્નાન કરાવતા હતા, ત્યાં જટાયુએ એક મોટા પથ્થર પર ખાતર નાંખ્યું અને એમાં પદ્મિની વાવી! શ્રી રામે આ દૃશ્ય જોયું ને બોલ્યા :
‘અરે મૂર્ખ! આ શું કરે છે! પથ્થર પર તે પંકજ ઊગે ખરાં? શા માટે પ્રયત્ન કરે છે?’
1 '
જટાયુએ એ કામ છોડી બીજું કામ શરૂ કર્યું! યંત્રમાં રેતી નાખી પીસવા માંડી! શ્રી રામ ચિડાયા ને બોલ્યા!
‘તું તો મૂર્ખાઓનો સ૨દાર લાગે છે! રેતી પીસીને તે તેલ કાઢી શકાય ખરું? તારો પ્રયત્ન નિષ્ફળ છે.'
જટાયુએ એ કામ પડતું મૂક્યું ને ત્રીજું કામ શરૂ કર્યું! સુકાયેલા વૃક્ષ ઉપર પાણી સીંચવા માંડ્યું. શ્રી રામને ગુસ્સો આવ્યો ને બોલી ઊઠ્યા :
For Private And Personal Use Only