________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનું નિર્વાણ
૯૦૫ ચારિત્રની ઉપાસના કરીને કર્મોનો નાશ કરવાના છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના છે એવા, શ્રીરામ આજે હનુમાનજીએ લીધેલા ચારિત્રને હસી કાઢે છે! અહો, કર્મની કેવી ઘોર વિટંબણા છે! પરંતુ એ કર્મો કયા સ્વરૂપે એમને મૂંઝવી રહ્યાં છે? હા, જાણયું. શ્રીરામ અને લક્ષ્મણજીનો ગાઢ સ્નેહ, એ સ્નેહનું બંધન જ એમને સંસાર પ્રત્યે નિર્વેદ નથી જાગવા દેતું! કેવા એ બે ભાઈઓનો સ્નેહ છે! વિશ્વમાં અન્યત્ર દુર્લભ!' સૌધર્મેન્દ્રને વિચારમાં પડી ગયેલા જોઈ, સભામાં બેઠેલા દેવોએ પ્રશ્ન કર્યો: હે દેવરાજ! આપ ગંભીર વિચારમાં ડૂબી ગયા. એવો ક્યો વિચાર આવ્યો? “હે સૌધર્મવાસી દેવો! મેં અવધિજ્ઞાનથી શ્રીરામને જોયા, તેમના વિચારો જાણ્યા, હનુમાનજીએ ચારિત્ર લીધું એ શ્રીરામને ન ગમ્યું!”
એમ કેમ?
શ્રીરામને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવામાં ભાતૃસ્નેહ બાધક બન્યો છે. શ્રીરામ અને લક્ષ્મણજીનો સ્નેહ અદ્વિતીય અને અદ્ભુત છે. એ સ્નેહ શ્રીરામને ભવનિર્વેદ નહીં થવા દે!'
આવો અદ્દભુત સ્નેહ!” દેવો વિસ્મય પામી ગયા. સભામાં બેઠેલા દેવોમાંથી બે દેવોના મનમાં કૌતુક જાગ્યું. તેમને સ્નેહની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ. તેમણે ઇન્દ્રને વાત ન કરી. મનમાં જ નિર્ણય કર્યો.
સ્નેહની પરીક્ષા! કેવી ઘેલછા! કેવું સાહસ! બીજાઓના જીવનમાં હસ્તક્ષેપ!
૦
૦
૦
For Private And Personal Use Only