________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૬
જેન રામાયણ હે પ્રભો, સમગ્ર વન જોઈ વળ્યા, સીતાજી ન મળ્યાં, હવે અહીં રોકાવાથી શું વિશેષ છે? બિભીષણે શ્રી રામને કહ્યું :
હા, સત્ય છે. હવે આ જીવનનું કોઈ પ્રયોજન નથી. સીતા વિનાનું જીવન જીવવાથી શું વિશેષ છે?' શ્રી રામની આંખો આંસુઓથી ભરાતી હતી અને છલકાતી હતી.
સંધ્યા થઈ ગઈ હતી. સહુ પુષ્પક વિમાનમાં ગોઠવાઈ ગયા અને અયોધ્યામાં પાછા આવ્યા. અયોધ્યાના મહેલો તેજવિહોણા થઈ ગયા હતા. સહુના મુખ પર ગ્લાનિ, ઉદ્વેગ અને દુ:ખ ઊભરાઈ આવ્યાં હતાં. બીજા દિવસે શ્રી રામે સીતાનું પ્રેતકાર્ય (મૃત્યુ પછીની ક્રિયા) કર્યું. શ્રી રામને સમગ્ર વિશ્વ શૂન્ય ભાસે છે. સર્વત્ર એમને સીતા, સીતા, દેખાય છે.
શ્રી રામનો સમગ્ર જીવનપ્રવાહ બદલાઈ ગયો. તેઓ વિરક્તદશામાં જીવવા લાગ્યા.
0
0
0
For Private And Personal Use Only