________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪d૪
મગધ-અભિયાનની પૂર્વતૈયારી “કાલે સવારે સૂર્યોદય પૂર્વે અહીંથી પ્રયાણ કરવાનું.' મારી એક વાત છે.' અંજલિએ કહ્યું. “કહો.”
અમારી સાથે પાંચ ચુનંદા ઘોડેસવાર જોઈએ.' ‘તૈયાર રહેશે. બીજું કંઈ?” આપ પૂજ્યોના આશીર્વાદ! ભગવાન જિનેશ્વરદેવ તમારી રક્ષા કરો.” અયોધ્યાપતિ બોલ્યા. “કાલે અહીંથી નીકળી ગરુદેવ ગૌડપાદનાં દર્શન કરી, પછી આગળ પ્રયાણ કરજો.” મહારાજા શુભમતિએ અંજલિને કહ્યું. અંજલિએ પિતાનું વચન અંગીકાર કર્યું.
અંજલિ અને વીરદેવ પોતપોતાના સ્થાને ચાલ્યાં ગયાં. મહારાજા શુભમતિ પણ અંતઃપુર તરફ રવાના થયા. દશરથ અને કેકેયી એકબીજા સામે સંતોષનો શ્વાસ લેતાં જોઈ રહ્યાં.
૦
૦
૦
For Private And Personal Use Only