________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૬૯ ‘નાથ, અમારો અપરાધ ક્ષમા કરો. અમે આપના પ્રત્યે ઘણો જ અન્યાય કર્યો છે. અમે અનુચિત વર્તન કર્યું છે.'
તમે જરાય અનુચિત નથી કર્યું. અયોધ્યાના મંત્રીમંડળે જે ઉચિત હતું તે જ કર્યું હતું. નરભક્ષી રાજાને પદભ્રષ્ટ કરવો એ ન્યાયપુર:સર હતું.” “તો આપ અયોધ્યામાં પધારવા કૃપા કરો.' મહામંત્રીએ પ્રાર્થના કરી.
હવે મારે અયોધ્યાનું શું પ્રયોજન છે? હવે તો એ મહાન ગુરુદેવની જ છાયામાં જવું છે. જેમણે મને નવજીવન આપ્યું, જેમણે મને સત્પથ પર ચઢાવ્યો, જેમણે મને રાક્ષસ મિટાવ્યો અને માનવ બનાવ્યો એ મહામુનિ મને બોલાવી રહ્યા છે. હવે તો રિહંતે શRાં પવMIf
સોદાસે યુદ્ધભૂમિ પર જ સંસારી વેશનો ત્યાગ કર્યો. સાધુવેશને ધારણ કરી લીધો. અયોધ્યાનાં લાખો નરનારીઓ દોડી આવ્યાં. રાજર્ષિનાં પાવન ચરણમાં સહુએ અશ્રુભીની આંખોએ વંદના કરી.
શ્રી રામચન્દ્રજીના પૂર્વજોનો તેજસ્વી ઇતિહાસ અહીં પૂર્ણ થાય છે. રાગ પર અંતે ત્યાગનો મહાન વિજય માનવજાતને જીવનનું અંતિમ લક્ષ્ય સૂચવી જાય છે. રાગમાં જીવન વિતાવી રહેલા મનુષ્યનું અંતિમ લક્ષ્ય તો સર્વત્યાગનું જ હોવું જોઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાગમય જીવન જીવવું એ ભગવાન ઋષભદેવની સંસ્કૃતિ નથી!
0
0
0
For Private And Personal Use Only