________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
જૈન રામાયણ કરતા રાજપુરોહિતના મકાને પહોંચ્યા. જઈને કાર ખખડાવ્યાં. મોડી રાતે દ્વાર ખખડતાં પુરોહિતે પૂછ્યું :
કોણ છે?
ખલાસ! કુંભકર્ણનો મિજાજ ગયો. પણ બિભીપણે હાથ દબાવી તેને ઠંડો પાડ્યો, “અરે, અમે છીએ, દરવાજા ખોલો.' બિભીષણનો અવાજ ઓળખતાં પરોહિત ડઘાઈ ગયો. “અત્યારે કેમ આવ્યા હશે? શું હશે? હું કોઈ ગુનામાં તો નહીં આવ્યો હોઉં ને!.” તર્ક-વિતર્ક કરતા પુરોહિતે ધ્રુજતે હાથે દરવાજા ખોલ્યા. સામે જ કુંભકર્ણ અને બિભીષણને જોયા.
કેમ સ્વામી! અત્યારે સેવકને યાદ કરવા પડ્યો?” ટીપણું જોવાનું છે.' “અત્યારે?' “તો શું કાલે?' ‘પણ શા માટે તે કહેવા કૃપા કરશો?’
શું એટલી સમજણ નથી પડતી? હવે શાનું મુહૂર્ત જોવાનું હોય? લગ્ન તો થઈ ગયાં છે...!' કુંભકર્ણની વાગ્ધારા અલિત ગતિએ ચાલી. “શું યુદ્ધયાત્રા માટે?'
હવે સમજ્યા!' ‘ગુણનિધિ! સારા સમયે મુહૂર્ત જોઈને લંકાપતિનાં ચરણોમાં ઉપસ્થિત થઈશ!'
બહુ સારું.”કહીને બંને કુમારો પોતપોતાના મહેલમાં ગયા. તેઓ યુદ્ધયાત્રાનો બૃહ વિચારતા વિચારતા નિદ્રાધીન થયા.
બીજા દિવસની શરૂઆતથી લંકા વિજયયાત્રાની તડામાર તૈયારીઓથી ધમધમી ઊઠી. આજુબાજુના કેટલાય વિદ્યાધરો, વિદ્યાધર રાજાઆ લંકામાં આવવા લાગ્યા. સૌપ્રથમ રથનૂપુરના ઇન્દ્ર રાજા પર ચઢાઈ કરવાના નિર્ણય લેવાયો.
પ્રશસ્ત મુહૂર્ત આવી પહોંચ્યું. કુંભકર્ણ, બિભીપણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વગેરે અગ્રગણ્ય વીરોની સાથે રાવણે પ્રયાણ કર્યું. બીજી બાજુ કિકિન્ધાથી સુગ્રીવ પણ પોતાના મહાન સંન્યની સાથે રાવણને આવી મળ્યો, પાતાલલંકાથી ખર વિદ્યાધર પોતાના ચુનંદા, ચૌદ હજાર વિદ્યાધર વીરોની સાથે આવી પહોચ્યો.
0 0 0
For Private And Personal Use Only