________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ કે શોકનો સ્વર સંભળાતો ન હતો, બલકે આનંદ, પ્રમોદ, વિલાસ અને વિનોદનો ધ્વનિ સ્વર્ગલોક પડઘા પાડી દેવોને પણ ઈર્ષ્યા જન્માવતો હતો.
રાજમહાલયની અટારી પર એક ભવ્ય સુખાસન પર લંકાપતિ બેઠો છે, તેની ચમકદાર આંખો અવકાશના તારામંડળ તરફ મંડાઈ છે. વિચારના વિરાટોદધિમાં તે ખૂબ લાંબે પહોંચી ગયો છે, તેના વિચારમાં કોઈ મહાન મહત્ત્વાકાંક્ષાના ધબકારા વર્તાય છે, કોઈ અજબ-ગજબની સિદ્ધિઓના આનંદના એંધાણ દેખાય છે.
તે ઊભો થયો. તે અટારીને કિનારે ગયો અને પાછો ફર્યો. તેણે આંટા મારવા શરૂ કર્યા. પાછો તે સુખાસન પર બેસી ગયો. હાથની એક તાલી વગાડી. દ્વાર પરનો સશસ્ત્ર સુભટ આવીને નતમસ્તકે આવી ઊભો.
ભાઈઓને બોલાવો.' “જી હજૂર...' મસ્તક નમાવી સુભટ ત્યાંથી અદ્રશ્ય થયો. થોડીક મિનિટમાં બિભીષણ અને કુંભકર્ણ અટારીને દ્વારે આવીને ઊભા. રાવણની દૃષ્ટિ દ્વાર પર પડી, સુખાસન પરથી ઊઠી ઝડપથી તે હાર આગળ ગયો અને બંને ભાઈઓ સાથે સ્નેહાલિંગન કર્યું. બે બાજુ બંને ભાઈઓના હાથ પકડી રાવણ સુખાસન પર બેઠો.
કેમ મોટાભાઈ...' બિભીષણે આતુર આંખે રાવણની સામે જોયું. ‘તમને જોઈને ઘણો જ આનંદ ઊભરાય છે! બિભીષણને સહેજ બગલમાં દબાવતાં રાવણ બોલ્યો.
મોટાભાઈ કોઈ મોટા વિચારમાં લાગે છે!' કુંભકર્ણ એક નિપુણ જોષીની અદાથી પ્રકાડ્યું! સાચી વાત છે તારી, કુંભકર્ણ!” એમ તો મેં થોડોક જ્યોતિષનો પણ...” ‘અભ્યાસ કર્યો છે, એમ ને?” રાવણે વાક્ય પૂરું કર્યું અને ત્રણેય ભાઈઓનું નિદૉપ હાસ્ય રેલાયું.
રજનીપતિ ત્યારે પૂર્વ દિશામાં લાલઘૂમ દેખાયા. “કુંભકર્ણ! હવે એક વિચાર આવે છે.”
શો?’ ‘તું જ કહે ને!”
For Private And Personal Use Only