________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૫૩ મહારાજા પ્રાદે સેનાપતિને આજ્ઞા કરી : ‘સેનાપતિજી! અહીં ભવ્ય મહોત્સવ ઉજવવાની તૈયારી કરો.”
જેવી મહારાજાની આજ્ઞા!' સેનાપતિએ પ્રહલાદને પ્રણામ કર્યા અને વિદ્યાશક્તિથી તત્કાલ ભવ્ય ઉદ્યાનની રચના કરી દીધી. રમણીય જિનમંદિર બનાવી દીધું. ભૂતવનને થોડાક કાળ માટે જિનેન્દ્રવન બનાવી દીધું! સુંદર પ્રાસાદો પણ ઊભા કરી દીધા.
બીજી બાજુ બે સુભટોને તાબડતોબ મહેન્દ્રનગર રવાના કર્યા અને રાજા મહેન્દ્રને પરિવાર સહિત તેડી લાવવા આજ્ઞા કરી. સુભટો વિમાનમાં મહેન્દ્રપુર પહોંચ્યા અને રાજા મહેન્દ્રને શુભ સમાચાર આપ્યા. મહેન્દ્ર સમગ્ર પરિવાર સાથે બે સુભટોની જોડે ભૂતવનમાં આવી પહોંચ્યો.
સ સ્વજનો મળ્યા. આનંદની અવધિ ન રહી. ઊભરાઈ રહેલા આનંદને જિનભક્તિમાં જોડી દીધો. ગીત-નૃત્ય અને અનેક પ્રકારની પૂજનસામગ્રીથી પરમાત્મા જિનેશ્વરદેવની ભક્તિ કરી. મહોત્સવની પૂર્ણાહુતિમાં સૌએ પ્રીતિભોજન કર્યો અને પોતપોતાના નગરે પવનંજય, અંજના, હનુમાનને લઈને જવા આગ્રહ કરવા માંડયાં. ત્યાં માનસર્ગ સહુને પ્રાર્થના કરી :
અહીંથી કોઈને છૂટા પડવાનું નથી. અહીંથી સહુએ હનુપુર પધારવાનું છે. મારી આપ સૌને પ્રાર્થના છે. ત્યાંથી પાછી આપ આપનાં નગરોમાં જઈ શકશો.”
માનસવેગના વચનને કોણ ઉલ્લંઘી શકે એમ હતું! પ્રસ્તાદ અને મહેન્દ્ર બંને રાજાઓ માનસવેગના ઉપકાર નીચે દબાયેલા હતા. સહુ કબૂલ થયા. ઉપકારીના મહાન ઉપકારની કદરદાની જે મનુષ્યમાં ન હોય તો તે મનુષ્ય જ ન કહેવાય.
વિમાનો તૈયાર થયાં. સૌ પોતપોતાના વિમાનમાં ગોઠવાઈ ગયા. સૌથી આગળ પ્રસિતનું વિમાન પવનંજય, અંજના, હનુમાન અને વસંતતિલકાને લઈને આકાશમાર્ગે ગતિશીલ બન્યું. તેની પાછળ મલ્લાદ અને મહેન્દ્રનાં વિમાનો ઉડ્યાં. સૌની પાછળ સેનાપતિનું વિમાન ઊડવા લાગ્યું.
0
0
0
For Private And Personal Use Only