________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જૈન રામાયણ વિયોગમાં વિષાદ! સંસારમાં ક્ષણમાં ઈષ્ટ મળે ને ક્ષણમાં ઇષ્ટ ચાલ્યું જાય.. એટલે જીવ હર્ષ અને વિષાદમાં રીબાયા જ કરે. સંસારનો ત્યાગ આ માટે કરવાનો છે. સાધુ બનીને પણ પુરૂષાર્થ કરવાનો છે. ઈષ્ટ કે અનિષ્ટ સંયોગમાં આત્મા હર્ષ-વિષાદના ઇંદ્રમાં ફસાય નહિ. ઇષ્ટના સંયોગમાં રાચવાનું નહિ કે અનિષ્ટના સંયોગમાં રડવાનું નહિ.
પ્રહસિતે ગંભીર સ્વરે રાજા પ્રલાદને કહ્યું : “મહારાજા, હવે તાબડતોબ ચારેકોર સુભટોને મોકલી, અંજનાની શોધ કરાવવી જોઈએ અને પવનંજયની પણ ભાળ મેળવવી જોઈએ.'
રાજ્યના મંત્રીઓ, સેનાપતિઓ, મુખ્ય મુખ્ય ચર પુરુષો.. બધા જ હાજર હતી. રાજા મલ્લાદે મુખ્ય સેનાપતિને આજ્ઞા કરી :
“સેનાપતિજી, તમે વૈતાઢ્યની ઉત્તર શ્રેણીના એક-એક નગરમાં અંજનાની તપાસ કરો.”
પ્રહસિતે કહ્યું : “અને જે અંજના મળી જાય તો પાછા અહીં ન આવશો. પરંતુ સીધા જ વિમાનમાં તમે મહેન્દ્રનગરથી પાંચસો યોજન દૂર પૂર્વ દિશામાં જે વૈતાઢયની ગિરમાળા છે, ત્યાં આવશો, ત્યાં કદાચ અમારું મિલન થઈ જશે.”
મુખ્ય સેનાપતિને સેંકડો ચતુર સુભટો સાથે તરત જ રવાના કરીને, રાજા અલ્લાદે બીજા સેનાપતિને આજ્ઞા કરી :
“તમે દક્ષિણ દિશામાં જાઓ. દરેક ગામ, નગરમાં અંજનાની તપાસ કરો અને અમને આવી મળો.'
‘જેવી મહારાજાની આજ્ઞા.” સેનાપતિ મહારાજાને પ્રણામ કરી રવાના થયો. તેણે કેટલાક ચુનંદા રાજપુરુષોને લઈ પ્રયાણ કર્યું.
મહારાજા, એક સુભટને તત્કાળ મહેન્દ્રનગરમાં મોકલીને, રાજા મહેન્દ્રને પણ અંજનાની શોધ કરવા માટે કહેણ મોકલવું જોઈએ.” પ્રહસિતે કહ્યું :
“હા, એ વાત પણ સાચી છે.' એક સુભટને તરત જ મહેન્દ્રપુર રવાના કરવામાં આવ્યો.
હવે આપણે વિલંબ કર્યા વિના, પવનંજયને મળવું જોઈએ.” પ્રહસિત મહારાજાનું વિમાન તૈયાર કર્યું. રાજા પ્રસ્લાદ, કેતુમતી અને મહામંત્રીને વિમાનમાં બેસાડી, પ્રહસિતે તત્કાળ ત્યાંથી વિમાન ઉપાડયું. જોતજોતામાં તો પ્રહસિતે વિમાનને ત્યાં ઉતાર્યું કે જ્યાંથી પોતે પવનંજયથી છૂટો પડયો હતો.
For Private And Personal Use Only