SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવનંજય પાછો વળે છે રમાતી, પરંતુ જીવોનાં જીવન સાથેની મૃત્યુની રમતનો અંત લાવવાનો ઉપાય છે.' પવનંજયે વિચારમાં પડેલા વરુણરાજની સમજ સ્પષ્ટ કરી. પુંડરીક અને રાજીવે સંમતિ આપી. વરુણરાજે પણ પવનંજયની દરખાસ્તને માન્ય રાખી. મહારાજા! મને ઘણો જ હર્ષ થયો. આપની નિખાલસતા અને ઊંડી સમજ પ્રત્યે ભારે આદર પ્રગટ્યો.” “પરંતુ સેનાપતિજી, એક વાતની સ્પષ્ટતા કરી લેવી જોઈએ.” રાજીવે કહ્યું. શું?' લંકાપતિને અમે એમની છાવણીમાં મળવા નહિ આવી શકીએ...!' “જુઓ, તમારે લંકાપતિની છાવણીમાં માહિ આવવાનું અને લંકાપતિને અહીં નહિ આવવાનું. નગરની પૂર્વ દિશાએ જે ઉદ્યાન છે ત્યાં બંનેનું મિલન યોજવાનું...' “બરાબર!' રાજીવ સંમત થયા. ‘તાં પછી, હવે હું રજા લઉં. હવે મારે લંકાપતિને મળવું પડશે. પછી પ્રહસિતની સાથે આપને શુભ સંદેશો મોકલું.' વરુણરાજે પવનંજયને જવાની સંમતિ આપી. પવનંજય ત્રણેયના સામે સ્મિત કરી ઊભા થયો અને પ્રસિત સાથે આકાશમાર્ગે લંકાપતિની છાવણીમાં આવી પહોંચ્યા. મહરિતને પોતાની શિબિરમાં મોકલી પવનંજય લંકાપતિની શિબિર તરફ વળ્યો. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી; છતાં છાવણીમાં કોઈ નિદ્રાધીન બન્યું ન હતું. પ્રત્યેક સૈનિક પોતપોતાની તૈયારીમાં મશગુલ હતો. પવનંજયે લંકાપતિની શિબિર આગળ જઈ, કારરક્ષકને ઇશારાથી દૂર કરી, શિબિરમાં પ્રવેશ કર્યો. શિબિરમાં રાવણ અને બિભીષણ કોઈ વાતચીત કરી રહ્યા હતા. પવનંજયે જઈને પ્રણામ કર્યા. કેમ અત્યારે કંઈ...?' રાવણે પવનંજયને બેસવા ઇશારો કરી પ્રશ્ન કર્યો. મહારાજ! કાર્ય સિદ્ધ થઈ ગયું છે.” કેવી રીતે? ખર અને દૂપણ આપણને માનભેર પાછા મળી જશે!' ‘અશક્ય. અભિમાની વરુણા એમ સહેજમાં સોંપી દે, તે મારા માન્યામાં નથી આવતું.' For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy