SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ હનુમાનજીનો જન્મ મરીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી પાછો ચ્યવ્યો! વૈતાઢ્ય પર્વત પર “વાણ' નામના નગરમાં સિંહવાહન કામે રાજપુત્ર થયો. એ વખતે તેરમા તીર્થંકર વિમલનાથનું ધર્મશાસન ચાલતું હતું. સિંદવહનને “લીધર' નામના મહામુનિનું મિલન થઈ ગયું. સિંહવાહન વૈરાગી બની ગયો. તેણે ચારિત્ર લીધું. ચારિત્ર લઈને તેણે તીવ્ર તપશ્ચર્યા કરવા માંડી. તેનું મૃત્યુ થયું અને તે દેવલોકમાં ગયો. ત્યાંથી રવીને તારી સખીની કુક્ષિમાં અવતર્યો. મહામુનિએ પૂર્ણવિરામ મૂક્યું. પ્રભુ! આ પુત્રનું ભાવિ...?' અંજનાએ પૂછયું. ગુણોનો ભંડાર, શક્તિનો અપૂર્વ પ્રવાહક, વિદ્યાધરોનો અધિપતિ, ગરમ શરીરી.' મહામુનિએ ચાર વિશેષતાઓ કહી પુત્રનું સંપૂર્ણ ભાવિ કહી દીધું! ભગવંત, હવે અમારે આમ ક્યાં સુધી..” ‘હવે તમારે એ પૂર્વનું પાપકર્મ લગભગ ખતમ થઈ ગયું છે. હવે દુઃખના દિવસો ચાલ્યા ગયા છે, માટે પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના ધર્મને હૃદયમાં સ્થાપિત કરી, એની જ આરાધનામાં લીન રહો. અંજનાના મામા અહીં આવશે અને તમને તેમના ઘેર લઈ જશે. પછી અલ્પકાળમાં જ અંજનાને એના પતિનો મેળાપ થશે.” બસ, આટલું કહીને એ વિદ્યાસંપન્ન મહામુનિ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યા ગયા. બંને સખીઓ આકાશ તરફ જઈ રહી અને મુનિ તો ઘણા દૂર નીકળી ગયા. ‘વસંતા! મભૂમિમાં પણ ભાગ્યશાળી આત્માને કલ્પવૃક્ષ મળી આવે, તે આનું નામ! અંજનાના હૃદયમાં આનંદ ઊભરાયો. “કેવા કરુણાના સાગર જેવા એ મહાત્મા હતા! ખરેખર, આપણો પૂર્વભવ સાંભળીને હું તો હેબતાઈ જ ગઈ. જનમ જનમ ભટકતાં જીવે અજ્ઞાનતામાં આવાં તો કંઈક પાપ કર્યા હશે. એનાં દારુણ પરિણામો પણ ભોગવ્યાં હશે.” માટે તો સંસાર છોડવા જેવો છે. જ્યાં સુધી આ સંસારની મોહમાયાનાં For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy