________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
જૈન રામાયણ ‘હવે તમે જે રાજ કુમારનું ચિત્ર લાવ્યા છો તેની વિશેષ માહિતી આપો.' મંત્રીએ ઊભા થઈને રાજાને મસ્તક નમાવીને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
મહારાજ! આદિત્યપુર નગર, વિદ્યાધરોની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરનો રાજા છે અલ્લાદ. પરાક્રમી અને ગુણિયલ અલ્લાદને કેતુમતી નામની પત્ની છે. તેમનો પુત્ર છે ‘પવનંજય.” અભુત પરાક્રમી અને અપાર કળાઓનો તે સ્વામી છે. એ કુમારનું ચિત્ર જ એના બેનમૂન રૂપ અને ગુણને કહી આપે છે.'
રાજાને બંને કુમારોની વિશેષતા સમાન લાગી. મૂંઝવણનો અંત ન આવ્યો. રાજા, રાણી અને બીજા વિચારમાં પડી ગયા. પરંતુ ત્યાં તો વિધુત્રભનું ચિત્ર લઈને આવનાર મંત્રી ઊભો થયો અને કહ્યું :
મહારાજ એક મહત્ત્વની વાત કહેવાની રહી ગઈ.” શું?' એકદમ ઉત્સુક હૃદયે રાજાએ પૂછ્યું. વિદ્યુ—ભ ચરમશરીરી છે, એમ એક વિશ્વાસપાત્ર નૈમિત્તિકનું કથન છે, અર્થાત્ આ જ ભવે તે મોક્ષે જનાર ઉત્તમ આત્મા છે.”
પવનંજય કરતાં વિદ્યુ—ભની આ અસાધારણ વિશેષતા કહેવાય.” મહામંત્રીએ સ્પષ્ટ ખુલાસો કરવાના આશયથી પ્રશ્ન કર્યો.
‘તમે વિદ્યાની વાત કહી તે સુંદર, પરંતુ જે નૈમિત્તિકે એનું આ ભવમાં નિર્વાણ કહ્યું, તે નૈમિત્તિકોએ એ પણ કહ્યું હશે ને કે કેટલા વર્ષ અને નિર્વાણ થશે?' ‘હા જી, એ પણ કહ્યું છે.' તે વાત કરો.' નૈમિત્તિકે કહ્યું છે કે અઢાર વર્ષની વયે તેમનું નિર્વાણ થશે.” હું! શું કહો છો? અઢાર વર્ષની વયે નિર્વાણા?' રાજા બોલી ઊઠ્યા. હા જી. આ વાત સત્ય છે, જરાય ખોટી નથી.” મહામંત્રીએ પવનંજયનું ચિત્ર લાવનાર મંત્રીને પૂછ્યું : “મંત્રી, પવનંજયના આયુષ્ય અંગે તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી છે? હોય તો કહો.”
હા જી, પવનંજયનું આયુષ્ય લાંબું અને બળવાન છે, નૈમિત્તિકોનું કથન છે અને તે કથન ભરોસાપાત્ર છે.”
‘મહામંત્રીએ મહારાજાની સામે જોયું. રાજા મહામંત્રીના નિર્ણયને સમજવા ઇચ્છતો હતો. તે મહામંત્રીએ રાજાના મુખ પરની રેખાઓ પરથી જાણ્યું.
For Private And Personal Use Only