SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર જેને રામાયણ “મેરુપર્વત પર અનન્તવીર્ય-મહર્ષિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” તરત જ રાવણ પુષ્પકવિમાનમાં બેસી, સુવર્ણાચલના શિખર પર આવી પહોંચ્યોં. ત્યાં તો દેવોનાં વંદો ઊતરી પડ્યાં હતાં. સુવર્ણના ભવ્ય કમલની રચના થઈ હતી. એના પર કેવળજ્ઞાની મહર્ષિ બિરાજ્યા હતા અને મંગલમય દેશના આપી રહ્યા હતા. રાવણે આવીને મહામુનિને વંદના કરી અને પોતાને યોગ્ય સ્થાને બેસી ગયો. કેવળજ્ઞાની ભગવંતની દેશના એટલે પૂછવું જ શું! સાકરથી ય અધિક મધુર અને ચંદનથી અધિક શીતલ! દેશના પૂર્ણ થઈ. દેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. રાવણ ત્યાં જ બેસી રહ્યો, એનું મન આજે એક ગંભીર પ્રશ્ન ઉઠાવીને બેઠું હતું! “મારું મરણ કેવી રીતે થશે?' આ ભાવિને સમજવા માટે તે ઉત્કંઠિત બન્યો હતો. તે કેવળજ્ઞાની ભગવંતની નિકટમાં ગયો. ભગવંત! આપ મારા મનના ભાવો જાણો છો અને જુઓ છો! કપા કરીને મારી મૂંઝવણનો ઉકેલ ન આપો? મારું મરણ કેવી રીતે થશે?' હે રાવણ! તું પ્રતિવાસુદેવ છે. તારું મૃત્યુ વાસુદેવને હાથે થશે.” કયા કારણથી ભગવંત?” રાવણે પૂછ્યું. પરસ્ત્રી-લંપટતાના કારણથી.” ભગવંતે સ્પષ્ટ ઉત્તર આપ્યો. રાવણનો આત્મા આ સાંભળીને ખળભળી ઊઠ્યો. તેના સદાચારપ્રિય મનમાં અનેક વિચારો પસાર થવા લાગ્યા. જ્ઞાની પુરુષ કહે છે તે મિથ્યા થવાનું નથી. માટે બનવાનું હશે તેમ બનશે!” મનમાં વિકલ્પ ઊઠ્યો. પરંતુ સદાચારના રક્ષણની તમન્નાએ કહ્યું : પરસ્ત્રીના કારણથી મારું મૃત્યુ થવાનું જ્ઞાની ભગવંત કહે છે તો હું એ કારણથી અળગો રહું તો? કારણ જ નહિ થવા દઉં તો કાર્ય કેવી રીતે થશે?' તેણે મનોમન નિશ્ચય કરી કેવળજ્ઞાની ભગવંતને વિનંતી કરી. મને નહિ ચાહતી પરસ્ત્રી સાથે હું કીડા નહિ કરું, એને સ્પર્શ પણ નહીં કરું અને પ્રતિજ્ઞા આપો.” રાવણની કેટલી બધી જાગૃતિ! પાપનો પગપેસારો થતો રોકવા તેણે પ્રતિજ્ઞાની પાળ બાંધી; કેવળજ્ઞાની મુનિ પાસે તેણે પ્રતિજ્ઞા લીધી. મુનિવરને ભાવભરી વંદના કરી તે લંકા તરફ વળ્યો. For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy