SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ જૈન રામાયણ હોય તો એ કર્મ મેં ક્યારે અને કેવી રીતે ઉપાજંલું, તે કહવા આપ કૃપા ન કરો?' બે હાથ જોડી મુનિવરની સહેજ નિકટમાં આવી, ઇન્દ્ર કાં. પુષ્પોની સુવાસ મહેકી રહી હતી. પંખીઓનો મધુર કલરવ અને સાધુઓના સ્વાધ્યાય ધ્વનિ વચ્ચે મધુર સ્પર્ધા થઈ રહી હતી. મુનિભગવંતે ઈના રહસ્યપૂર્ણ ભૂતકાળ ઉપર મીટ માંડી. મનની સમગ્ર વૃત્તિઓને એકાગ્ર બનાવી, ઇન્દ્રની વાત આરંભી : અરિંજયપુર નામે નગર હતું. જવલનસિંહ નામનો ત્યાં પરાક્રમી રાજા હતો, વેગવતી નામે શીલસોહામણી રાણી હતી. વેગવતીએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીનું નામ પાડવામાં આવ્યું અહિલ્યા, અહિલ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ ખીલતું ગયું. જ્યારે તે યૌવનમાં આવી ત્યારે તો એ રાજકુંવરી, રૂપની મૂર્તિ જ દેખાવા લાગી. જ્વલનસિંહ રાજાએ અહિલ્યાનો સ્વયંવર રચ્યો અને અનેક રાજાઓને તથા રાજ કુમારોને આમંયા. સ્વયંવર દિવસે સંકડો રાજાઓ તથા રાજ કુમારો અરિજયપુરમાં ઊતરી પડ્યા. તેમાં ચંદ્રાવર્ત નગરનો રાજા આનંદમાલી અને સૂર્યાવર્ત નગરનો રાજા તડિપ્રભ પણ આવેલા હતા. આ બે રાજાઓ તે જાણે એમ સમજીને જ આવેલા કે ‘રાજ કુમારી મને જ વરશે!' મોહની લીલા એવી હોય છે કે જીવને તે ઊંધી સમજમાં ભરમાવે છે અને અંતે દુઃખના ખાડામાં પટકે છે. અહિલ્યાએ બધા રાજાઓને જોયા. તેણે ચંદ્રાવર્ત નગરના રાજા આનંદમાલીના ગળામાં વરમાળા આરોપી. પરંતુ એ જોઈને સૂર્યાવર્તનો રાજા નડિાભ સમસમી ઊડ્યો એ તડિભ એ જ તું!' મહામુનિએ ઇન્દ્રને વાતનું અનુસંધાન કરી આપતાં કહ્યું. આનંદમાલી પ્રત્યે હૃદયમાં ઈર્ષ્યા, હેપનું બીજ વાવી, નડિપ્રભ ત્યાંથી પોતાના નગરમાં પહોંચ્યો. તેને કંઈ ચેન પડતું પથી, ક્યાંથી પડે? જ્યાં સુધી હૃદયમાં ઈર્ષાની આગ સળગતી રહે ત્યાં સુધી ચેન અનુભવી શકે નહિ, બેચેન જ રહ્યા કરે. એ બેચેની લોહી અને માંસનું ભક્ષણ કરનારી હોય છે. અર્થાતું. ઈર્ષાળ મનુષ્ય દિનપ્રતિદિન સુકાતો જાય છે. એટલું જ નહિ બલકે ઈર્ષ્યાળુ મનુષ્યનું મન તો એટલું બધું ક્રૂર બનતું જાય છે કે જેની કોઈ સીમાં રહેતી નથી. આનંદમાલ તો અહિલ્યાને લઈ પોતાના નગરમાં ગયાં. ભોગસુખોમાં તેના For Private And Personal Use Only
SR No.008899
Book TitleJain Ramayana Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy