________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૪૩ શસ્ત્રોથી થાક્યા છે મંત્રશક્તિથી રક્ષાયેલાં અસ્ત્રોથી યુદ્ધ કરવા માંડ્યું. રાવણે અનેક દાવ અજમાવ્યા, પરંતુ ઇન્દ્ર બધા જ દાવ નિષ્ફળ બનાવી દીધા. રાવણે બાજુમાં રહેલા સુગ્રીવની સામે જોયું. સુગ્રીવે માપી લીધું હતું કે ઇન્દ્રને આ રીતે સામી લડાઈ આપીને હરાવી શકાશે નહિ. સુગ્રીવ રાવણની ખૂબ નિકટમાં પહોંચી ગયા. રાવણ અનેક વિદ્યાનું સ્મરણ કરી અસ્ત્રો છોડતો હતો. ઈન્દ્ર સામેથી એનો સખત પ્રતિકાર કરી રહ્યો હતો.
કૂદકો મારીને ઐરાવણ પર પહોંચી જાઓ.” સુગ્રીવે રાવણના કાનમાં બૂમ મારી. રાવણના ચિત્તમાં પણ એ જ વિચાર આવ્યો હતો, એમાં સુગ્રીવના સૂચને વેગ આપ્યો.
પળવારમાં તો રાવણ છલાંગ મારીને એરાવણ હાથી પર જઈ પડ્યો. પહેલા તડાકે જ મહાવતને યમસદનમાં પહોંચાડી દીધો અને ઇન્દ્રને જકડીને બાંધી દીધો.
એટલી ઝડપથી આ બની ગયું કે ઇદ્રને સામનો કરવાની તક જ ન મળી. ઇન્દ્ર પકડાયો જાણી, ઇન્દ્રનું સૈન્ય ભાગવા માંડ્યું. રાવણ હાથીની સાથે રાવણ ઈન્દ્રને પોતાની શિબિરમાં લઈ આવ્યો. રાક્ષસન્ય આનંદોત્સવ ઊજવ્યો. રાવણ સમસ્ત વિઘાધર - આલમનો રાજા બન્યો.
રાવણા રથનૂપુરમાં ન રોકાતાં, ઇન્દ્રને લઈને લંકામાં પાછો વળ્યો. લંકાની પ્રજાએ રાવણનું ભવ્ય સ્વાગત કર્યું. લાકડાના પીંજરામાં પુરાયેલા ઇન્દ્રને પણ લંકાની શેરીઓમાં, એના રાજમાર્ગો પર ફેરવવામાં આવ્યો અને લંકાના કારાગારામાં પૂરવામાં આવ્યા.
ઇન્દ્રના પિતા સહસ્ત્રારની સ્થિતિ વિચિત્ર સર્જાઈ. પુસ્નહે તેને વ્યાકુળ બનાવી દીધો. પુત્રને પાછો મેળવવા માટે તેણે પોતાના પરિવાર સાથે લંકા તરફ પ્રયાણ કર્યું.
કર્મની કેવી વિચિત્રતા છે! આટલી વૃદ્ધાવસ્થામાં સહસરને પુત્રભિક્ષા માગવા નીકળવું પડે છે!
મહારાજ! રથનૂપુરથી ઇન્દ્રના પિતા સાહાર આપને મળવા ઇચ્છે છે.” પ્રતિહારીએ રાજસભામાં પ્રવેશ રાવણને કહ્યું.
આવવા દો એમને” રાવણે અનુમતિ આપી. વયોવૃદ્ધ સાહસારે ધીમે પગલે રાજસભામાં પ્રવેશ કરી, રાવણને નમન કર્યું. રાવણે યોગ્ય આસન આપ્યું. સહસાર આસન પર બેઠા. પરંતુ એમની આંખોમાં
For Private And Personal Use Only