________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
જૈન રામાયણ ઉપરંભાએ ત્યાં રાવણને આશાલિકા વિઘા આપી. ઉપરાંત દેવોથી અધિષ્ઠિત બીજાં શસ્ત્રો પણ આપ્યાં, રાવણ પણ ઉપરંભાની સમક્ષ એવા ભાવ બતાવ્યા કે ઉપરંભા માની બેઠી, “રાવા તરત જ મને ગ્રહણ કરશે!
બિભીપણે સંગ્રામનો શંખ જોરશોરથી ફેંક્યો. નિરાશ બની ગયેલું લંકાનું સૈન્ય સફાળું બેઠું થઈ ગયું અને હર્ષના પોકારો કરવા લાગ્યું. જોતજોતામાં લાખો સૈનિક શસ્ત્રસજ્જ બની યુદ્ધ માટે થનગની ઊઠ્યા.
રાવણે વિદ્યાબળથી અગ્નિના કિલ્લાને ઓળંગ્યો અને તેના સાથે દુર્લઘપુર ઉપર ધસારો કર્યો. અંદર યુદ્ધ માટે રાજ્જ થઈને ઊભેલા નલકુબરે સખત સામનો કર્યો, પરંતુ જોતજોતામાં જ બિભીષણે નલકુબેરને જીવતો પકડી લીધો. ત્યાં રાવણને “સુદર્શનચક્ર' પ્રાપ્ત થયું.
નલકુબેર રાવણની આજ્ઞા માન્ય કરી. રાવણે દુર્લઘપુર નલકુબેરને પાછું સાપી દીધું! રાવણના આવાસમાં ઉપરંભા આવીને ઊભી રહી. રાવણને ઇશારો કરી, પોતાની પાછળ આવવાનું સૂચવી, તે રાજમહાલયના એક ગુપ્ત ખંડ તરફ વળી, રાવણ તેની પાછળ ચાલ્યો. થોડીક વારમાં જ એક ભાયરા જે વા. ભાગ દેખાવી લાગ્યો. ઉપરંભાને ત્યાં જ અટકાવીને રાવણે પૂછયું :
શા માટે અને ક્યાં લઈ જાય છે?' ‘તમે મને વચન આપ્યું છે, તે શું ભૂલી ગયા?' વિકારવિવશ બનેલી ઉપરંભાએ ધીમા રવરે અને ઝીણી આંખે કહ્યું.
અરે ગાંડી! એવાં તે વચન અપાતાં હશે અને પળાતાં હશે?” હું? એટલે શું?” ‘ચમકવાની જરૂર નથી. પરંતુ તારે તારી કુલીનતાનો વિચાર કરવો જરૂરી છે.” રાવણો કંઈક ગંભીર બનીને કહ્યું.
પરંતુ અત્યારે મારું મન બેકાબૂ...”
એ ન ચાલે, તારે તારા પતિને વફાદાર રહેવું જોઈએ; એ જ તારા જેવી તેજસ્વી સ્ત્રીનું પરમ કર્તવ્ય છે.”
મૌન છવાયું. ઉપરંભા કંઈ કહી શકતી નથી તેમ પોતાની વાસનાને સહી શકતી નથી! રાવણે પુનઃ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું :
“તેં મને વિદ્યા આપી તેથી તું મારી વિદ્યાગુર, થઈ! તેથી તારા શરીરે અડવું એ તો મહાપાતક. વળી, પરસ્ત્રી માત્રને મારી માતા અને બહેન માનું છું.”
For Private And Personal Use Only