________________
‘તમે મને સંયમ ન આપો?”
પણ વાંધો શું છે?'
‘વાંધો ?'
હા”
‘મારી પાસે ધર્મ નથી”
‘એટલે ?' મારા માર્ગમાં ધર્મ નથી” ‘બિલકુલ ધર્મ નથી ?'
પણ તું આમ કેમ પૂછે છે?'
મારા જીવનના ઉદ્ધારક તો તમે જ છો !' અને મરીચિ, તમે એને કહી દીધું છે કે “કપિલ, ધર્મ તો અહીં પણ છે અને ત્યાં પણ છે.” બસ, આટલા ઉત્સુત્ર ભાષણે તમે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર વધારી દીધો છે.
મરીચિ! રાજકુમાર કપિલને તમે “અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે” આમ કહીને કેવી ભારે ભૂલ કરી બેઠા છો! આ ઉત્સુત્રભાષણે તમારો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધારી દીધો છે!
પ્રભુ, એમ લાગે છે કે માર્ગની પાકી સમજ મેળવ્યા પછી ય જો મારી પાસે નિઃસ્પૃહચિત્ત નથી તો હું ય ગમે તેવા લવારા કરવા દ્વારા મારું સંસાર પરિભ્રમણ વધારી શકું છું. મને તું ત્રણ ચીજ આપી દે. નિઃસ્પૃહ ચિત્ત, સમ્યક સમજ અને પાપભીરુ અંતઃકરણ, તો જ મારી જીભ કદાચ ઠેકાણે રહેશે.
૨૩