________________
यथा हि शुक्लपक्षप्रवेशात् प्रतिपच्चन्द्रमा: परिपूर्ण । चन्द्रमण्डल हेतु: सम्पद्यते तथा सर्वज्ञाऽज्ञानुप्रवेशात् । तुच्छमप्यनुष्ठान क्रमेण परिपूर्णानुष्ठानहेतुः सम्पद्यते । 5)
- ઉપદેશપદ - ૨૨૨ થી
પાણીનું નાનકડું બુંદ. એ કેટલું બધું તાકાતહીન ! સૂર્યનાં બે-ચાર કિરણો એનાં પર પડે, પવનની બેચાર લહેરખી એને સ્પર્શી જાય, નાના પણ બાળકનો એના પર પગ પડી જાય અને એ હતું-ન હતું થઈ જાય. પણ સબૂર ! આવું નાનકડું અને તાકાતહીન પણ એ બુંદ સ્વીકારી લે સાગરનું શરણું અને ભળી જાય સાગરમાં, પછી? ન એને મધ્યાહ્નકાળનો સૂર્ય પણ શોષવી શકે, ન એને વાવાઝોડાનો પવન પણ સૂકવી શકે કે ન એને કોઈ ચમરબંધીનો સ્પર્શ પણ હતું-ન હતું કરી શકે. મુનિ ! જોયો તો તે છે ને શુક્લ પક્ષમાં પ્રવેશેલો બીજનો ચન્દ્ર! આકાશમાં એને નીરખવા માટે કદાચ આંખો ઝીણી પણ કરવી પડે. પણ સમય જેમજેમ પસાર થતો જાય, બીજનો એ ચન્દ્ર પૂર્ણિમાનો ચન્દ્ર બનીને જ રહે.. આ જ સંદર્ભમાં અમે તને એક વાતની યાદ કરાવવા માગીએ છીએ. ભલે તારી પાસેનું સદનુષ્ઠાન નાનું છે, ભલે આરાધના તારી પાસે મામૂલી છે, ભલે સાધનાનું કદ તારું અતિ તુચ્છ છે, પરંતુ જો એ અનુષ્ઠાનને, આરાધના અને સાધનાને
સર્વજ્ઞની આજ્ઞાનું પીઠબળ છે તો અમે તને કહીએ છીએ કે આજે નાનકડું દેખાતું પણ અનુષ્ઠાન આવતી કાલે પરિપૂર્ણ અનુષ્ઠાનનું કારણ બનીને તારા આત્માનો મોક્ષ કરી જ દેશે. એક અતિ મહત્ત્વની બાબત તારા ખ્યાલમાં છે ? પ્રશ્ન ચન્દ્રનો નથી, ચન્દ્રની ઉપસ્થિતિ ક્યા પક્ષમાં છે એનો છે. ચન્દ્ર તો એનો એ જ હોય છે પરંતુ જ્યારે એ કૃષ્ણપક્ષમાં હોય છે ત્યારે એ પરિપૂર્ણ તો નથી બનતો પરંતુ એ સતત ઘટતો જતો જ હોય છે. અને એ જ ચન્દ્ર જ્યારે શુક્લપક્ષમાં પ્રવેશી જાય છે, બસ, એ જ દિવસથી એનું પરિપૂર્ણ બનવાનું નિશ્ચિત્ત થતું જાય છે. આ જ હકીકત સમજી રાખજે તારી મુક્તિની બાબતમાં. અનુષ્ઠાનનું પોત જો ચન્દ્રનું છે તો સર્વજ્ઞની આજ્ઞાનું પોત શુક્લપક્ષનું છે. તપ-ત્યાગ અને જાપ, સ્વાધ્યાય, ભક્તિ અને વૈયાવચ્ચ, આ બધાં અનુષ્ઠાનો અનંતકાળના સંસાર પરિભ્રમણમાં તે એકાદ વાર નહીં પરંતુ અનંતીવાર કર્યા છે અને છતાં તારી મુક્તિ થઈ નથી એ હકીક્ત છે. ગરબડ ક્યાં થઈ ગઈ ? અહીં જ. એ અનુષ્ઠાનોનું પોત સર્વશની આજ્ઞાનું હોવું જોઈતું હતું એના બદલે કાં તો એ અનુષ્ઠાનોના કેન્દ્રમાં સર્વશની આજ્ઞા રહી અને કાં તો તારી જ ખુદની સ્વચ્છંદમતિ રહી. અને એણે જ તારાં તમામ અનુષ્ઠાનોને ફળથી વંચિત કરી દીધાં. એક જ કામ કર તું હવે. અનુષ્ઠાન નાનું પણ કર. એને સર્વશની આજ્ઞાનું પીઠબળ આપી દે. તારી મુક્તિ નિશ્ચિત્ત થઈ જશે.
to