SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ यथा हि शुक्लपक्षप्रवेशात् प्रतिपच्चन्द्रमा: परिपूर्ण । चन्द्रमण्डल हेतु: सम्पद्यते तथा सर्वज्ञाऽज्ञानुप्रवेशात् । तुच्छमप्यनुष्ठान क्रमेण परिपूर्णानुष्ठानहेतुः सम्पद्यते । 5) - ઉપદેશપદ - ૨૨૨ થી પાણીનું નાનકડું બુંદ. એ કેટલું બધું તાકાતહીન ! સૂર્યનાં બે-ચાર કિરણો એનાં પર પડે, પવનની બેચાર લહેરખી એને સ્પર્શી જાય, નાના પણ બાળકનો એના પર પગ પડી જાય અને એ હતું-ન હતું થઈ જાય. પણ સબૂર ! આવું નાનકડું અને તાકાતહીન પણ એ બુંદ સ્વીકારી લે સાગરનું શરણું અને ભળી જાય સાગરમાં, પછી? ન એને મધ્યાહ્નકાળનો સૂર્ય પણ શોષવી શકે, ન એને વાવાઝોડાનો પવન પણ સૂકવી શકે કે ન એને કોઈ ચમરબંધીનો સ્પર્શ પણ હતું-ન હતું કરી શકે. મુનિ ! જોયો તો તે છે ને શુક્લ પક્ષમાં પ્રવેશેલો બીજનો ચન્દ્ર! આકાશમાં એને નીરખવા માટે કદાચ આંખો ઝીણી પણ કરવી પડે. પણ સમય જેમજેમ પસાર થતો જાય, બીજનો એ ચન્દ્ર પૂર્ણિમાનો ચન્દ્ર બનીને જ રહે.. આ જ સંદર્ભમાં અમે તને એક વાતની યાદ કરાવવા માગીએ છીએ. ભલે તારી પાસેનું સદનુષ્ઠાન નાનું છે, ભલે આરાધના તારી પાસે મામૂલી છે, ભલે સાધનાનું કદ તારું અતિ તુચ્છ છે, પરંતુ જો એ અનુષ્ઠાનને, આરાધના અને સાધનાને સર્વજ્ઞની આજ્ઞાનું પીઠબળ છે તો અમે તને કહીએ છીએ કે આજે નાનકડું દેખાતું પણ અનુષ્ઠાન આવતી કાલે પરિપૂર્ણ અનુષ્ઠાનનું કારણ બનીને તારા આત્માનો મોક્ષ કરી જ દેશે. એક અતિ મહત્ત્વની બાબત તારા ખ્યાલમાં છે ? પ્રશ્ન ચન્દ્રનો નથી, ચન્દ્રની ઉપસ્થિતિ ક્યા પક્ષમાં છે એનો છે. ચન્દ્ર તો એનો એ જ હોય છે પરંતુ જ્યારે એ કૃષ્ણપક્ષમાં હોય છે ત્યારે એ પરિપૂર્ણ તો નથી બનતો પરંતુ એ સતત ઘટતો જતો જ હોય છે. અને એ જ ચન્દ્ર જ્યારે શુક્લપક્ષમાં પ્રવેશી જાય છે, બસ, એ જ દિવસથી એનું પરિપૂર્ણ બનવાનું નિશ્ચિત્ત થતું જાય છે. આ જ હકીકત સમજી રાખજે તારી મુક્તિની બાબતમાં. અનુષ્ઠાનનું પોત જો ચન્દ્રનું છે તો સર્વજ્ઞની આજ્ઞાનું પોત શુક્લપક્ષનું છે. તપ-ત્યાગ અને જાપ, સ્વાધ્યાય, ભક્તિ અને વૈયાવચ્ચ, આ બધાં અનુષ્ઠાનો અનંતકાળના સંસાર પરિભ્રમણમાં તે એકાદ વાર નહીં પરંતુ અનંતીવાર કર્યા છે અને છતાં તારી મુક્તિ થઈ નથી એ હકીક્ત છે. ગરબડ ક્યાં થઈ ગઈ ? અહીં જ. એ અનુષ્ઠાનોનું પોત સર્વશની આજ્ઞાનું હોવું જોઈતું હતું એના બદલે કાં તો એ અનુષ્ઠાનોના કેન્દ્રમાં સર્વશની આજ્ઞા રહી અને કાં તો તારી જ ખુદની સ્વચ્છંદમતિ રહી. અને એણે જ તારાં તમામ અનુષ્ઠાનોને ફળથી વંચિત કરી દીધાં. એક જ કામ કર તું હવે. અનુષ્ઠાન નાનું પણ કર. એને સર્વશની આજ્ઞાનું પીઠબળ આપી દે. તારી મુક્તિ નિશ્ચિત્ત થઈ જશે. to
SR No.008897
Book TitleFari Kyare Malse Aa Jivan
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size176 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy