SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ એક રાત અનેક વાત દરેક માતાના હૃદયમાં પુત્ર ઉપર મોહ હોય જ.” હોય, પરંતુ યશોદા માતાનો તારા ઉપર પ્રબળ મોહ છે. તારા ઉપર અગાધ પ્રેમ છે!' “એટલે તો મારા મનમાં ચિંતા છે કે માતા અને પિતાજી મને અનુમતિ આપશે કે કેમ...” ‘ચિંતા ન કર. અનુમતિ માગી છે...' અનુમતિ ન આપે તો? હું રાજપુત્ર છું... અનુમતિ વિના ગુરુદેવ મને દીક્ષા ન આપે.' “સાચી વાત છે, રાજપુત્રને માતા-પિતાની અનુમતિ લેવી અનિવાર્ય હોય છે.” “મને ગઈ કાલે ગુરુદેવે જ આ વાત સમજાવી હતી.' “અનુમતિ મેળવવાનો પ્રયત્ન કરવાનો વારંવાર પ્રયત્ન કરવાનો... ક્યારેક તો માનશે ને?' ક્યારેક એટલે? હવે તો હું એક દિવસ પણ ગૃહવાસમાં રહેવા નથી ઇચ્છતો... હું ખરેખર તને કહું છું... મારું મન ગૃહવાસમાંથી ઊઠી ગયું છે.' શિવકુમારના મુખ પર ઉગ તરી આવ્યો. ધર્મેશે તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું : “હિંમત રાખ. તારી ઇચ્છા પવિત્ર છે, ઉત્તમ છે, સફળ થશે.' “હું આજે સાંજે માને વાત કરીશ.” બરાબર છે.” ધર્મેશ વિચારમાં પડી ગયો... થોડી ક્ષણ બન્ને મૌન થઈ ગયા. શિવ, જીવાત્મામાં ક્યારે કેવું પરિવર્તન આવી જાય છે? નિમિત્તોની જીવાત્મા પર કેવી અસર પડે છે? મુનિરાજનું નિમિત્ત પામીને તારામાં કેવું પરિવર્તન આવી ગયું? અલબત્ત, તારા ઉપાદાનની પણ યોગ્યતા.. પરિપક્વતા આમાં કારણભૂત છે જ. તારા આત્માનું ઉપાદાન યોગ્ય ન હોત તો નિમિત્તની અસર ન થાત. પૂર્વજન્મમાં તેં કરેલી સંયમધર્મની આરાધનાથી તારો આત્મા ઘણો યોગ્ય બની ગયો છે. આત્માના મૂળભૂત ગુણ વીતરાગતા છે, વૈરાગ્ય એની નિકટનો ગુણ છે... વૈરાગી આત્મા વિતરાગતાની નિકટ હોય છે. કુમાર, તારો વૈરાગ્ય મને પણ હલાવી ગયો છે... મારો પણ વૈષયિક સુખોનો રાગ દૂર થશે જ .. અને કદાચ હું પણ તારા પગલે પગલે સંયમધર્મ સ્વીકારી લઈશ.” For Private And Personal Use Only
SR No.008896
Book TitleEk Rat Anek Vat
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy