________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
૧૭૯ પ્રભુ હાથમાં ખુલ્લી તલવાર લઈ મહેલના દ્વારે પહોંચ્યો. તેણે પ્રભવને જોયો. પ્રભવની આંખોમાં તેણે રોષ ન જોયો. બન્ને ભાઈઓની આંખો મળી. પ્રભવે બે હાથ જોડી પ્રભુને પ્રણામ કર્યા. કે પ્રભુના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ. તેણે પણ પ્રભાવને પ્રણામ કર્યા.
પ્રભુ, પહેલાં મારે પિતાજીને મળવું છે.. પછી આપણે મળીશું...' પ્રભવને અને એના સાથીઓને લઈ પ્રભુ મહેલમાં આવ્યો. પ્રભવે પોતાના સાથીઓને મહેલના એક ખંડમાં બેસવાનું કહ્યું. “મોટાભાઈ ?' “પ્રભુ!'
એક પ્રશ્ન પૂછું?” “જેટલા પૂછવા હોય એટલા પૂછ...' “પિતાજીને શા માટે મળવું છે?' મારે મારા અપરાધોની ક્ષમા માંગવી છે...' આ કોણ બોલે છે?” પ્રભવ...!' “મોટાભાઈ, મને સમજાતી નથી તમારી વાત...'
કોઈને પણ ન સમજાય એવી આ વાત છે... પણ પ્રભુ, એક રાજકુમાર ડાકુ બની શકે છે, ને એ વાત દુનિયાને સમજાય છે, તેમ એક ડાકુ સાધુ બની શકે છે – શું એ વાત દુનિયાને ન સમજાય એવી છે?'
બન્ને ભાઈ ચાલતાં ચાલતાં એક ભવ્ય ખંડના દ્વારે આવી ઊભા. આ ખંડ વયોવૃદ્ધ રાજા વિંધ્યરાજનો હતો. ખંડના દ્વારે ઊભેલા પરિચારકે ખંડમાં જઈ મહારાજાને પ્રભુના આગમનના સમાચાર આપ્યા.
પ્રભુએ પ્રભવની સાથે ખંડમાં પ્રવેશ કર્યો. વિંધ્યરાજની ઉંમર એક સો ને પાંચ વર્ષની થઈ ગઈ હતી. આંખે ઓછું દેખાતું હતું. કાને ઓછું સંભળાતું હતું. છતાં તેમની માનસિક સ્થિતિ સારી હતી. આરોગ્ય પણ સારું હતું.
પ્રભુએ વિંધ્યરાજનાં ચરણે પ્રણામ કર્યા અને કહ્યું : “પિતાજી, જરા ધારીને જુઓ તો, આ કોણ આવ્યું છે?
For Private And Personal Use Only