SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ બાર પ્રકારની હિંસાઓ ધર્મદણ્ડયોઽડિસ, ધર્મદણ્ડયોડસિ.’ સંતોએ વેન જેવા દુષ્ટ રાજાને, જૈનાચાર્ય કાલકસૂરિજીએ ગર્દ - ભિલ્લ જેવા કામી રાજાને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકવાની વાત ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કંડારાઈ છે. બાકી સામાન્યતઃ ઈશ્વરના અંશ જેવા ભારતવર્ષના રાજાઓ ખૂબ સારા હતા. આથી જ આજે પણ અમે તે સારા રાજાઓની સરમુખત્યારી સ્વરૂપ (લોકશાહીગર્ભિત) રાજાશાહીને જ પસંદ કરીએ છીએ. જો આપણે આજે પણ રામરાજ્યને ઈચ્છતા હોઈએ તો આપણે રામને (રાજાને) ઈચ્છવા જ પડશે. રામ વિના રામરાજ્ય શી રીતે આવે ? આજની ટોળાશાહીમાંથી હવે ગુંડાશાહીમાં રૂપાન્તરિત થયેલી લોકશાહીમાં રામ તો જડવા જ મુશ્કેલ છે, જન્મવા પણ મુશ્કેલ છે. પરદુઃખભંજન વિક્રમ અને કોશલનરેશ, રાષ્ટ્રદાઝથી ધગધગતા સમ્રાટ્ ખારવેલ અને સમ્રાટ સમુદ્રગુપ્ત, ધર્માત્મા રામ અને કૃષ્ણ, પુણ્યાત્મા સમ્રાટ્ સંપ્રતિ અને ચેડા, જીવદયા પ્રતિપાલક ગૂર્જરેશ્વર કુમારપાળ, મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહ વગેરેને યાદ કરો.... આજની લોકશાહીને ૪૫ વર્ષ થવા આવ્યાં. આવો એક પણ પ્રતાપી પુરુષ તેણે પકવ્યો નથી. રાજા ૠષભે જે પાયાની માનવીય જીવનધો૨ણોની સુંદર વ્યવસ્થા કરી તે મુખ્યત્વે માનવતાના ગુણો દયા, સદાચાર, નીતિમત્તા વગેરેથી પ્રત્યેક પ્રજાજનને સંપન્નકરવાની વ્યવસ્થા હતી. માનવ - ભવ પામેલા જીવે સૌ પ્રથમ - કમ સે કમ - ‘માણસ’ (દયાવાન, નીતિમાન, સદાચારી) તો બનવું જ જોઈએ, એવો અહીં ખ્યાલ હતો. આ ‘માણસ’ બનવાથી વ્યવસ્થાનું પ્રાણતત્ત્વ ‘સ્વાવલંબન’ હતું,જે પરાવલંબી હોય તો અનેક રીતે તૂટે, દોષોથી યુક્ત બને, દયાદિ ગુણોથી વિહીન બને. માણસ તોતે જ બની શકે જે સર્વ વાતે સ્વાવલંબી હોય. આવું સ્વાવલંબન મુખ્યત્વે ખેતી અને પશુપાલનથી આવતું. ખેડૂત એ ધરતીનો તાત કહેવાતો. એને ખેતી અને પશુપાલનથી ઘરમાં બધું જ બની જતું ! મળી જતું. આ કારણથી જ (હિંસાના કારણથી બેશક ખેતી પણ ઉત્તમ ન કહેવાય. પરન્તુ ઉદ્યોગો તો ખેતીની હિંસાથી પણ વધુ - માનવજાતહિંસા સુધીની હિંસાને કારણે - હિંસક છે તેનું શું ?) ખેતીને ઉત્તમ કહેવામાં આવી હતી. વેપારમાં સ્વાવલંબન ઘટવાથી તે ‘મધ્યમ’ કહેવાતો. અને નોકરીમાં તો સ્વાવલંબનનું મીંડું થઈ જતું હોવાથી તેને ‘અધમ’ કહેવામાં આવી હતી. (આજે તો ઊંધું ગણિત ચાલ્યું છે !)
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy