________________
વાણીનો સિદ્ધાંત
૧૨૭
૧૨૮
વાણીનો સિદ્ધાંત
બોલ્યો, કેવું સરસ બોલ્યો !” એ મહીં પોઈઝન પડ્યું. પછી એનાથી કલ્યાણ થાય નહીં.
પ્રશ્નકર્તા : અને તમે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આ નવો શબ્દ ક્યાંથી નીકળ્યો ?
દાદાશ્રી : હા, ટેપમાંથી નીકળ્યા કરે છે આ તો. આપણે કહીએ કે હવે તમે સંભળાવો. તો એ બને નહીં. એ જોગ બેસવો જોઈએ.
અહો ! શું ગોઠવણી ટેપોતી ! પ્રશ્નકર્તા : આપ બોલો છો, એ વખતે આવાં જે વાક્યો નીકળી આવે છે, તે વખતે અમે જ્ઞાનીની મુખમુદ્રા જ જોઈએ છીએ...
દાદાશ્રી : તે ઘડીએ દર્શન કરવા. “આમ” (બે હાથ જોડીને) કરી લેવું એ પૂર્ણ સ્થિતિ ! વાક્ય નીકળેને, તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટારૂપે નીકળે. નીકળ્યા પછી પાછું જરા આઘુંપાછું થાય. તે વખતે દર્શન કરવા. પૂર્ણ સ્થિતિના દર્શનથી પેલું બે આની કાચું રહે.
પ્રશ્નકર્તા : હવે તે દહાડે ‘અલૌકિકની મહોર” જે એવો શબ્દ નીકળ્યો ને, શબ્દ બહાર આવ્યો એટલે ટેપમાંથી આવ્યો, પણ એ તરત ટેપ થઈને બહાર આવ્યો હતો ?
દાદાશ્રી : હા, તરત. પ્રશ્નકર્તા : તાજી ટેપમાંથી બહાર આવ્યો ?
દાદાશ્રી : તાજી. આ શેના આધારે ટેપો નીકળે છે ? પૂછનારની ઉપરથી ટેપો અંદર ગોઠવાઈ જાય. આ કોઈ પૂછનાર આવ્યો છે, એ પૂછનાર શું પૂછવાનો છે, તે ય અંદર ટેપો જાણે છે. ટેપો બધી તૈયાર છે. એકની પાછળ બીજી, બીજીની પાછળ ત્રીજી, એવી ગોઠવાયેલી જ હોય છે. આ તો વચ્ચે આપણને ખબર નથી પડતી. બાકી, કેવો સરસ ક્રમ ગોઠવાયેલો છે !
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે “આની પાછળ અલૌકિકની મહોર છે.”
દાદાશ્રી : હા, અલૌકિકની મહોર. પણ એ શબ્દ સારો છે. તે ઘડીએ એ નીકળી ગયો. નહીં તો હું ક્યાંથી ખોળત ? હું ક્યાં ડાયરીઓ જોવા જાઉં આમની ? તે ઘડીએ એની મેળે નીકળ્યો ! માટે આની પાછળ કંઈક છે ને ? ગોઠવણી છે ને ? કે નહીં ?!
વાણી, વ્યવહારથી મુક્તદશામાં ! આ સંજોગોમાં આ પ્રમાણે બોલ્યા, ને બીજા સંજોગોમાં બીજું આ પ્રમાણે બોલ્યા ! એનો તોલ કરતાં ના આવડે, એ પોતે મૂંઝાય પછી. વાણી એ સંજોગો ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : એ તો અપેક્ષિત છે. કોની સાથે આપ વાત કરો છો, હરેકની સાથે જુદી જુદી રીતે વાત થતી હોય.
દાદાશ્રી : હા, જુદી રીતે હોય. હું શું કહેવા માગું છું તે એને શી રીતે સમજાવું, એની ઢબ ખોળું છું. એટલે સામાને પછી મારા બોલ ઉપર વિવાદ ઉત્પન્ન ના થાય.
હવે જેમ જેમ ઘરનાં બંધનોથી મુક્ત થયો, તેમ તેમ શું થાય છે? ઉપાશ્રય થાય છે. ઉપાશ્રય થાય એટલે મહીંલો માલ સરસ નીકળે. ઘરમાં રહ્યો એટલે સહેજે ઘરનું બંધન ખરું ને ! હું ત્યાં સાંતાક્રુઝ ત્રીજે માળે હોઉં તો ઘરનું બંધન ખરું ને ?
પ્રશ્નકર્તા : હા, ખરું.
દાદાશ્રી : એટલે માલ નીકળે નહીં, જોઈએ એવો હંમેશાં. એટલાં માટે જ આ ભગવાને કહેલું કે એકાંતમાં રહેવું. એનું એ જ કારણ ને ! સંસારથી દૂર રહેવાનું કારણ એ હતું ને ! અહીં છેટો રહું એટલે ઉપાશ્રય
પ્રશ્નકર્તા : આ ગોઠવણી નથી, સાહજિક છે. દાદાશ્રી : હા. બાકી બધા ય ગર્વસ આપવા માટે બોલે, “હું
પ્રશ્નકર્તા : હા.