________________
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : છતાં લોકોને ગૂંચ પડી જાય. આ લોકો તો બિચારાં દાળભાત ખાઈને રોજ નીકળે છે. આ તો આમ કરતાં કરતાં બે-ચાર અવતારે મોક્ષે જશે, તો બહુ થઈ ગયું !
વક્તા-શ્રોતાતો સંબંધ, અભેદતાતો !
પ્રશ્નકર્તા : વ્યવહારમાં વક્તા તમે છો કે જે જગતનું કલ્યાણ કરે એવા હોય અને અમે શ્રોતા, એ બે વચ્ચે કેવો સંબંધ થાય છે ?
૯૧
દાદાશ્રી : અભેદતાનો સંબંધ હોય. આ વ્યક્તિ જ પોતે અભેદ હોય, એટલે અભેદતાનો જ સંબંધ હોય.
પ્રશ્નકર્તા : જ્યારે એ અભેદતાનો સંબંધ જળવાય, ત્યારે વક્તા અને શ્રોતા એ હોય છે ખરા ?
દાદાશ્રી : ડીઝાઈનમાં જુદું દેખાય. ફોટામાં દેખાય એવું જુદું. પ્રશ્નકર્તા : આપણે ફોટા સાથે સંબંધ કેટલો ?
દાદાશ્રી : ફોટો જ છે બધું. એક જ છે બધું. પણ આ ફોટાને લીધે બધું જુદું દેખાય છે. સ્પેસ જુદી હોવાથી જુદું જુદું દેખાય છે.
પ્રશ્નકર્તા : પણ એ ફોટામાં આપણે ક્યાં સુધી રાચવું ?
દાદાશ્રી : જ્યાં સુધી વિકલ્પો છે ત્યાં સુધી ફોટા છે. નિર્વિકલ્પી થયા એટલે નિર્વિકલ્પીને ફોટો તો હોય પણ એ ફોટો જતો હોય. જતો એટલે પરિણામરૂપે હોય. તે ઘડીએ કૉઝરૂપે ના હોય. નવો ફોટો ના છપાયેલો હોય.
પ્રશ્નકર્તા : જે વ્યક્તિ નિર્વિકલ્પ વક્તા છે, તેમની અને શ્રોતા વચ્ચે અભેદતા હોય છે. પણ શ્રોતા એના રોજબરોજનાં જીવનમાં અટવાતાં, તેની અસર વધારે કેમ રહેતી નથી ?
દાદાશ્રી : નિરંતર અસર રહે, એક ક્ષણ વાર બાદ નહીં તેવી. પ્રશ્નકર્તા : આપનો એવો સામાન્ય અનુભવ છે ખરો ?
૯૨
દાદાશ્રી : સામાન્ય અનુભવથી જ બોલું છું આ. પ્રશ્નકર્તા : આપને માટે નહીં, શ્રોતાઓને માટે.
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હા, શ્રોતાઓને માટે જ કહું છું. મારી પાસે શ્રોતાઓને તો નિરંતર અભેદતા રહે. શ્રોતા નિરંતર એક ભાવ’ને પામેલા છે. આ તો વાસ્તવિકતા છે, હકીકત છે. આ કંઈ પોલંપોલ નથી.
જ્ઞાતીએ દોહ્યાં, અનેરાં તવતીત !
પ્રશ્નકર્તા : આપની એક સામાન્ય વાત પણ નવો જ દ્રષ્ટિકોણ આપતી હોય છે.
દાદાશ્રી : નવો જ દ્રષ્ટિકોણ આપે છે, નહીં ?
પ્રશ્નકર્તા : નવી જ, એની કલ્પનામાં પણ ના આવે, કે આવું ? આ સામાન્ય વાતનું પૃથક્કરણ જ્ઞાનીની વાણીમાં કંઈક જુદું જ હોય છે. દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આપનું કેવું છે ? કે પૂછનારનો પ્રશ્ન નીકળ્યો ને, તો આપનું આખું એ બાજુનું વિઝન ઊભું થઈ જાય છે.
દાદાશ્રી : હા, એ બાજુનું વિઝન ઊભું થઈ જાય. પ્રશ્નકર્તા : આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા-અવળા, ગાંડાઘેલા, પણ આપની મહીંથી વિજ્ઞાન જ નીકળે છે.
દાદાશ્રી : હા. એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે, આપણને લાભ છે ને ! એ ખોટું શું છે ?! એટલે આપણે એ જોવાનું છે કે વિજ્ઞાન શું નીકળે છે ! એ જુઓને આપણે ! અને આ જોવાનું ચૂકે, તો એ ‘ચૂકનારને ય’ ‘આપણે’ જોવાનો. બસ, બીજું કશું નથી, આપણે ત્યાં
બીજી ભાંજગડ જ નથી ને !
કેટલાંક તો પ્રશ્નો પૂછવામાં ય એટેક કરે કે ‘તમે આ શબ્દનું આવું કેમ કહો છો ?” તે અમે એનું સમાધાન કરાવીએ. સમાધાન થઈ જ જવું