________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા ના બોલે. એઝેક્ટ ના આવે એવું.
દાદાશ્રી : એટલે કશું જ ના આવે, એ તો તદન જુદી જ વાણી આવે. જેવી ટેપરેકર્ડ બોલી હતી, એવું ના આવે. અગર દસ ટકા ભૂલોવાળું ય ના આવે. કંઈ જુદી જ જાતનું નીકળે. માટે આ ટેપરેકર્ડ બોલે છે, એઝેક્ટલી ટેપરેકર્ડ જ છે. ત્યારે એ કહે છે, ‘હા, પણ એવું તો મારાથી ના બોલાય.’
એ શક્તિ કોઈને ય નહીં ! આ બધા ભાષણો કરી કરીને મનમાં મલકાય છે કે, ‘હું કેવું બોલ્યો, દોઢ કલાકમાં આવું બોલ્યો.’ છે ભમરડો અને પાછો કહે કે “હું બોલ્યો.' તો એ ફરી બોલી જા ! ત્યારે ચૂપ.
પ્રશ્નકર્તા : કોઈ બુદ્ધિમાન માણસ હોય તો બોલે એવું ? દાદાશ્રી : એક અક્ષરે ય ના બોલાય.
પ્રશ્નકર્તા : આ મહાભારત કે રામાયણ કથા કહે છે, એને આપણે કહીએ કે ‘ફરી બોલો' તો એ બોલી જાય.
દાદાશ્રી : એ તો કહે. એ કથા કહે. આ તો જે આમ આ વાણી બોલે છે ને, એ વાણીની વાત છે. પેલું તો બધું ગોખેલી વસ્તુ ફરી બોલાય. ગોખેલી વસ્તુ ફરી બોલાય. કારણ કે એ ધારણ કરેલી વસ્તુ છે. આ વાણી ધારણ કરેલી નથી. બોલી જુઓ, જોઈએ. મોટો ગમે એવો સાહેબ હોય ને, તે કહેશે કે ‘હું બોલ્યો, આમ બોલ્યો.’ ‘ફરી બોલ’ કહું કે ચૂપ થઈ જાય છે. તે બોલ, એક અક્ષરે ય બોલ ને ! મારામાં બોલવાની શક્તિ નથી, તો તારામાં કંઈથી આવી ? તીર્થંકરોમાં ય એ શક્તિ નહોતી.
દાદાશ્રી : વાણી પર તો અધિકાર છે જ નહીં ને ! એનો ટાઈમ થાય એટલે વાણી નીકળે જ બહાર. વાણી પર કોઈનો ય અધિકાર નથી. ટાઈમ ને સંજોગ બધા ભેગા થાય એટલે ટેપ વાગવા માંડે.
પ્રશ્નકર્તા : તો વાણીને કંટ્રોલ કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : ટેપરેકર્ડની વાણી તમે શી રીતે કંટ્રોલ કરી શકશો ? કોઈ માણસ એવો જભ્યો નથી કે એના બોલ પર એનો પોતાનો કાબુ હોય. બોલવાની સત્તા જ કોઈને, કોઈ જાનવરને ય સત્તા ના હોય. એ સત્તામાં નહીં એટલે શું થાય ? જો વાણી પોતાની સત્તામાં હોત તો તો લોકો એવી વાણી ફેરવી નાખત, ખરેખરી ! પણ આ તો ફેરવવી હોય તો ય નથી ફરતી. એટલે વાણી પર ને પરાધીન છે, હાથમાં બિલકુલ નામે ય સત્તા નથી. આખા શરીર ઉપર નામે ય સત્તા નથી.
પ્રશ્નકર્તા: તો શબ્દોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ એવું જે કહેવામાં આવે છે, એવું બને કે નહીં ?
દાદાશ્રી : શબ્દનો ઉપયોગ કરવાનો તમારા હાથમાં કેટલું છે ? તમારા હાથમાં સત્તા કેટલી ? જો તમારામાં સત્તા હોય તો તમે આવું બોલત જ નહીં. તમારા હાથમાં સત્તા નથી અને તમે ‘ઓછો ઉપયોગ કરવો ને વધારે ઉપયોગ કરવાનું' બોલો છો, એ વિકલ્પો છે. ખાલી જ્ઞાન તરીકે વાત સાચી છે કે ઓછું બોલવું જોઈએ. પણ એવું બનતું નથી ને !
હું કહું કે “એ ય કશું બોલશો નહીં, ગુસ્સો કરશો નહીં.” ત્યારે પેલા કહે કે, “અરે સાહેબ, વાત કરો છો, પણ આ એક્ઝક્ટનેસમાં આવવું જોઈએ ને ?” જ્યાં પોતાનાથી બનતું જ ના હોય, એ કરવું કેવી રીતે શક્ય બને ?
પછી માફી માગી લેવાય ! પ્રશ્નકર્તા : પણ આ ટેપરેકર્ડ છે, તેની અંદર સુધારો કરવો પડે ને ?
દાદાશ્રી : સુધારો કરવો ના પડે અને સુધારો થઈ શકે પણ નહીં. એ તો આપણે સમજી જવું કે આ માણસ ભેગો થાય છે એટલે આવી
બોલવું, એ પરસતા ! પ્રશ્નકર્તા: વાણી એ ટેપરેકર્ડ છે, તો વાણી પર અધિકાર કેવી રીતે
આવે ?