________________
વાણીનો સિદ્ધાંત
૫૦૭
૫૦૮
વાણીનો સિદ્ધાંત
છોડવા-બોડવા બધું સમજે, એ લાગણીઓ પ્રદર્શિત ન કરી શકે. પણ સમજી જાય બધાં ય. તમે એ છોકરાંને કહો કે “કેવો સરસ તું દેખાઉં છું'. તો બીજા દહાડે સુંદર દેખાય. કેવું ઈફેક્ટિવ છે !
અને છોકરાની રૂબરૂમાં ‘તારામાં અક્કલ નથી.’ વાઈફને વઢાય નહીં કે છોકરાં એમ જ સમજે કે “આ પપ્પો જ વાંકો છે.’ નહીં તો છોકરાંને તો સંસ્કાર સારામાં સારા દેખાવા જોઈએ. છોકરાંની રૂબરૂ વઢો તો નહીં જ બિલકુલ ય, એ ભલે એક વર્ષનો હોય છોકરો, પણ આંખથી દેખતો થયો છે. માટે લઢાય તો નહીં ! આ તો રોજ બાઝાબાઝ ! પેલાં ઈન્ડીયામાં તો નાનાં છોકરાં શું કહે છે, “મમ્મી, પપ્પા, જય સચ્ચિદાનંદ !” એટલે પપ્પો બંધ થઈ જાય. સમજી જાય તરત. ‘સચ્ચિદાનંદ’ બોલેને એટલે. કંઈક તો મનુષ્યપણું હોવું જોઈએ. હશે હવે જે થઈ ગયું તે થઈ ગયું.
ટકોર કરાય કળામય !
વાત સમજાય છે ?
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એટલે આ મા-બાપ કહે છે મારાં છોકરાં સુધરે, મૂંઆ શેના સુધરે પણ ? અનૂકવૉલિફાઈડ ફાધર્સ. છોકરાં વધારે બગડે છે. એનું કારણ એના મા-બાપને લીધે.
આ તો જ્ઞાન લીધા પછી ડાહ્યા થાય થોડા. હવે થોડું ડહાપણ આવે કે ના આવે !
પ્રશ્નકર્તા : હા, આવે દાદા.
દાદાશ્રી : તમે હિસાબ કાઢોને, તમને નાનપણમાં વઢતા હોય કોઈ તો મહીં કશી અસર થતી હતી ? શું થતું હતું ? - પ્રશ્નકર્તા : ખોટું કરીએ છીએ એવું લાગે. મને ખબર પડી જતી કે હું ખોટું કરી રહ્યો છું. બેનો કહે છે કે અમને એવું લાગતું હતું કે આ બધા અમને વગર કામના લઢ લઢ કરે છે.
દાદાશ્રી : હં, બધાને એમ જ લાગે. બહુ લઢે ત્યારે..... પ્રશ્નકર્તા : લાગે, દાદા. એમ લાગે કે મારી ભૂલ છે.
દાદાશ્રી : કો'ક ફેરો લાગે. રોજ એમ કરે તો ‘નકામા આ કચકચ કર્યા કરે છે” એમ માને. અને તમારા છોકરાં શું કહે, આ ડેબલ કચકચ કરી રહ્યા છે, આ નકામા, યુઝલેસ !
શબ્દો તહીં, સંસ્કારો સુધારો! પ્રશ્નકર્તા : બીજી શી અસર થાય છોકરાં ઉપર ?
દાદાશ્રી : બહુ જ બધી ખરાબ અસર પડે, છોકરાઓને. આ બધા બગડી ગયા એવું ના બોલાય, એના સાંભળતાં. મનમાં સમજી જવાનું કે સાલું બગડી ગયું. આપણે બોલ્યા, કે સાંભળી લે છોકરાં બધું ય. અસરવાળું આ જગત, ઇફેક્ટિવ. આપણે જાણીએ કે આ શું સમજવાનું છે ?! પણ
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે. તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ?
- દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને. કહેતા આવડવું જોઈએને, શું ?
પ્રશ્નકર્તા: કઈ રીતે ?
દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.” આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે “તમારામાં અક્કલ નથી, ગધેડો છું.” એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.
પ્રશ્નકર્તા: કઈ રીતે કરવાની ટકોર ?
દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમ તેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે