________________
વાણીનો સિદ્ધાંત
૫૦૫
૫૦૬
વાણીનો સિદ્ધાંત
એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.
પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ
નહીં.
દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને. મૌન થાય તો સારી વાત છે અને ના થાય તો આવી રીતે કરવું.
પ્રશ્નકર્તા : મૌન રાખવાથી સામા માણસમાં ફેર પડે ? દાદાશ્રી : પડે. પ્રશ્નકર્તા : વઢવા કરતાં વધારે પડે ? દાદાશ્રી : હા, ઘણો ફેર પડે, મૌન બહુ કામ કરે.
પ્રશ્નકર્તા કોઈને શીખવાડવાનું હોય તો પછી મૌનથી કેવી રીતે શીખવાડાય ?
ય એની ભૂલ ગણાય ?
દાદાશ્રી : તો રાગે પડી જાય. પ્રશ્નકર્તા છતાં છોકરાઓ બાપનાં કહ્યામાં રહેશે, એની ખાત્રી શું ?
દાદાશ્રી : ખરી ને ! આપણું કેરેક્ટર(ચારિત્ર) તો આખું જગત કેરેક્ટરવાળું.
પ્રશ્નકર્તા : છોકરાં છેલ્લી કોટીનાં નીકળે તેમાં બાપ શું કરે ?
દાદાશ્રી : મૂળ દોષ બાપનો જ. તે ભોગવે છે શાથી? આગળે ય આચાર બગડ્યા છે તેથી આ દશા થઈ છે ને ? જેનો કંટ્રોલ કોઈ અવતારમાં બગડતો નથી, તેને આવું હોય નહીં, અમે એ કહેવા માંગીએ છીએ પર્વકર્મ તો શાથી થયું ? આપણો મુળ કંટ્રોલ નથી ત્યારે ને ! એટલે અમે આમાં, કંટ્રોલમાં માનીએ છીએ. કંટ્રોલ માનવા માટે તમારે બધા એના કાયદા સમજવા જોઈએ.
આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
ત્યાં મૌત લેવું કે ટોકવું? પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારુંને ? કોઈને વઢીએ, ટોકીએ, એનાં સારા માટે તો એ કરવું કે નહીં ?
દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીંને. એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં, પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તો ય થઈ જાય એ તો. ના વઢવું હોય તો ય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવું આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા: હં, કે આમ નહીં કરવું. દાદાશ્રી : આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો
દાદાશ્રી : ના, એ શીખી જવાય, એમ ને એમ આવડે. શીખવાડીને બગડે છે ઉલ્ટે આ તો. અહીં બધું જ્ઞાન છે, આપણે મૌન રહીએને તો એને જ્ઞાન પહોંચી વળે. એ જ્ઞાન છે જ એને, છોકરાઓને ય જ્ઞાન છે, છતાં બોલાય છે તે આપણે જોયા કરવું.
આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ?
પ્રશ્નકર્તા : હા, સમજાય એવી વાત છે, દાદા.
દાદાશ્રી : જરા ય છોકરાને કહેવાય નહીં. કારણ કે છોકરું જ્ઞાન લીધેલું નથી અને તરત જ એને લાગે કે અવળું બોલે છે. હું કહું ત્યારે, અવળું બોલે છે એવું ના કહે, હું મારીને કહું તો ય ! કારણ કે એને વિશ્વાસ બેઠો હોય, મારા વાક્યોથી. એ તમારું તો વાક્ય તમને જ સમજણ પડતી ના હોય ત્યાં આગળ ! મફતમાં બાપ થઈને બેઠો !! એટલી મારી