________________
વાણીનો સિદ્ધાંત
બીજે બધે હંસની સભા કહેવાય, પરમહંસની નહીં. એટલે આમ ખોટામાંથી છોડાવડાવે ને સારું કરો, દાન આપો, ફલાણું કરો, આમ કરો, ક્ષમા રાખો, દયા રાખો, શાંતિ રાખો, એવું બધું રાખવાનું કહે કહે કર્યા કરે. એ બધું શેને માટે રાખવાનું ? શુભને માટે. એ બધી હંસની સભા કહેવાય. ત્યાં બધે આત્માની વાત ના હોય. આત્મા માટેના સાધનની વાત હોય. આત્માની પ્રાપ્તિ કરવાના સાધનોનો માર્ગ હોય અને આ સાધ્યમાર્ગ છે, જ્યાં આત્મા-પરમાત્માની વાત હોય.
૩૨૧
પછી હંસની સભાથી ય ઉતરતો સંગ હોય, એ કાગડાઓનો સત્સંગ કહેવાય. જરા કશુંક થાય તો કાઉ કાઉ કરી મૂકે. એવું સત્સંગમાં થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : પેલો આમ કહે, તો બીજો આમ કહે.
આ ત્રણ પ્રકારનાં સત્સંગ મોટા. બીજા નાના સત્સંગ તો પાર વગરના થવાનાં. કાગડાનો સત્સંગે ય મોટો કહેવાય.
બુદ્ધિતા જવાબો, જન્માવે વિવાદો !
આ સંવાદી ન હોય. આ વાદ-વિવાદ ન હોય. બુદ્ધિનો બધો ભાગ એ વાદ-વિવાદ કહેવાય. વાદ-વિવાદ એટલે એ બોલે તેની પર પાછો હું વિવાદ કરું. પછી વિવાદ ચાલે. ચર્ચા ચાલે. એક જ પ્રશ્નનો જવાબ બુદ્ધિથી આપવામાં આવે તો ચર્ચા ચાલે.
પ્રશ્નકર્તા : બુદ્ધિથી જવાબ અપાયેલો હોય તો વિવાદ થાય જ. દાદાશ્રી : સામાની બુદ્ધિ ઊભી થઈ જાય. તે આ તલવાર લીધી ત્યારે હું ય તલવાર લઉં. હું બુદ્ધિથી જવાબ નહીં આપવાનો ને, એટલે ચૂપ ! બુદ્ધિથી બોલાય નહીં. આમાં હેલ્પીંગ થાય. મૂળ રસ્તા તરફ જવામાં હેલ્પીંગ થાય.
બુદ્ધિ વાદ-વિવાદવાળી હોય. તમે બુદ્ધિની વાત બોલો તો બીજો
વાણીનો સિદ્ધાંત
પેલો વાદ કરશે કે, ‘જા, આમ ના હોય, પણ આમ હોય.' અને આ જ્ઞાનની વાતમાં વાદ ના કરે.
૩૨૨
એક્ઝેક્ટ આત્મા જ કબૂલ કરવો જોઈએ. ત્યારે કહે, “બહાર આત્મા કબૂલ કરે છે ને ?” ના. એ તો મન કબૂલ કરે છે, ત્યાં તો આત્મા કબૂલ કરે જ નહીં. આત્મા જાગૃત જ ના થાય. આત્મા જ્ઞાનીની હાજરીમાં જ જાગૃત થાય. નહીં તો થાય જ નહીં. અને અમે જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, નિર્વિકલ્પ દશામાં, નિર્વિચાર દશામાં. વિચારે ય પુદ્ગલ છે. ક્યાં સુધી વિચારનું ગલન કર્યા કરવું ?
અહીં તો લાખ માણસ બેઠા હોય ને, તો એ બધાને એક્સેપ્ટ કરવી પડે, આ વાતને. પછી કોઈને જાણીજોઈને આડું બોલવું હોય તો મને કહે કે મારો આત્મા કબૂલ કરતો નથી. ત્યારે હું કહું કે મારી ભૂલ થઈ. તારી પાસે વાત કરી, એ જ મારી ભૂલ થઈ. શાથી એવું કહું હું ? એનો આત્મા કબૂલ કરે તો ય આડું બોલે એવાં આડા ખરાં કે મહીં ? એવાં હોય ને કે આડું બોલે પાછું ?
જો અમારા વાદ ઉપર વિવાદ થશે, સામો માણસ વિવાદ કરવા ફરશે તો એ માર ખાશે. મારે કંઈ મારવો નથી. એનાં કર્મો એને માર ખવડાવશે.
પ્રશ્નકર્તા : તો આ બધા વાદ-વિવાદ કયાંથી આવ્યા, જો ઓટોમેટીક બન્યું તો ?
દાદાશ્રી : વાદ-વિવાદ એ તો ઈગોઈઝમનું, બે ઈગોઈઝમ લઢે, એનું નામ વાદ-વિવાદ.
ફોડ ના પડે તો વાદ-વિવાદ ચાલ્યા કરે. તેનું નામ જ સંસાર આ. પઝલ સોલ્વ કરતાં આવડ્યું એટલે નિરાંત.
તથી આવ્યો ખરું કરાવવા !
હું જે વાણી બોલું તે વાણીથી તમારું આવરણ તૂટે, ને અંદર લાઈટ થાય. ને તેથી તમને મારું સમજાય. બાકી એક શબ્દ પણ સમજવાનું તમારું