SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ગુજરાતી ભાષા આવડે, બીજી ભાષા શીખે એટલે બીજી ભાષા આવડે. મુસ્લિમોની લેંગ્વજ, હિન્દુઓની લેંગ્વજ ! કૂતરા ભસે છે, ગધેડા ભૂકે છે, એ ય ભાષા છે. આ બધા જાનવર બોંગ્રેડે છે તે ય ભાષા. એટલે ભેંસની ભાષા, પોપટની ભાષા, ગાયની ભાષા, એ બધું ભાષા કહેવાય. સહુ સહુની જુદી જુદી ભાષા ! એટલે ભાષા સામાન્ય હોય અને વાણી મનુષ્ય મનુષ્ય જુદી જુદી હોય. વાણી એ પોતાની વસ્તુ છે. પ્રશ્નકર્તા તો આ વાણી અને ભાષા, એ બે વચ્ચે શું સંબંધ છે? દાદાશ્રી : એવું છે ને, એકડો લખેલો હોય તો જ આપણે એકડો કહીએ ને ? એને બગડો ના કહીએ ? તો ગયે ફેર બોલ્યો હતો એવું એક્કેક્ટ એમાં આવી જાય. કશું ફેર ના પડે. હર સંજોગોમાં ફેરફાર હોવા છતાં એઝેક્ટ તે જ કાર્ડિયોગ્રામ આવી જાય. અને આપણા લોક કહે છે કે આ ભૂક્યો. અલ્યા જુઓ, વિચાર તો કરો, એની કળા તો જુઓ. બધાં જ અવયવો એવાં ગોઠવાયેલાં છે કે ભૂકે છે તે આવું જ નીકળે. અને એ અવયવો સારાં ગોઠવાયાં હોય તો આપણા જેવું નીકળે, પણ એ ટેપ થયેલું જ અત્યારે ભૂકવામાં આવે છે અને એક જ જાતનું સંગીત વાગે, હોંચી હોંચી ! ધ્યાન રાખીને સાંભળજો, જો એક જ જાતનું હોય છે. આવડી આવડી ગાયની વાછરડી હોય તે મેં મેં કરે, તે એવી ને એવી જ વાગ્યા કરે, એની એ જ ભાષા, એને કોણે શિખવાડયું ? શિખવાડવા જવું ના પડે. ભેંસ બૉગડે છે ને, તે ય એક જ જાતનો અવાજ. બકરી બેં બેં કરે છે, ચકલી ચું ચે કરે છે, તે ય એક જ જાતનો અવાજ ! અને વાંદરા ચિચિયારીઓ કરે ને, તે એવી ને એવી જ ચિચિયારીઓ, શરદી થઈ હોય તો ય એવું ને એવું જ બોલે ને ! એનું કારણ છે, કે આ ટેપરેકર્ડ છે. તમને સમજાય છે ? પ્રશ્નકર્તા : હા, સમજાયું. દાદાશ્રી : કૂતરું જેવું હમણાં ભર્યું હતું કે, તેના તે જ ટોનમાં ફરી ભસશે. હાઉ ઈઝ ઈટ પોસિબલ ? માટે એ તો ટેપરેકર્ડ થઈ ગઈ. ભેદજ્ઞાતીએ ભાખ્યાં ભેદ, ભાષાને વાણી તણાં ! પ્રશ્નકર્તા : વાણી અને ભાષામાં તફાવત શું ? દાદાશ્રી : જેટલું ભસવામાં આવે છે, એ બધી ભાષા કહેવાય અને મનુષ્યોને વાણી હોય છે. બીજા લોકોને વાણી નથી હોતી, ભાષા હોય છે. પ્રશ્નકર્તા: મનુષ્યોને ભાષા ના હોય ? દાદાશ્રી : ભાષા બધાની. પણ વાણી મનુષ્યોની એકલાની હોય. જાનવરને વાણી ના હોય. બાકી ભાષા તો, સહુ સહુની ભાષા હોય. જ્યાં જન્મ્યા હોય ને, ત્યાં એની ભાષા એને આવડે. ગુજરાતમાં જન્મ્યો તો પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બગડો લખેલો હોય તો ? પ્રશ્નકર્તા : બગડો જ કહેવો પડે. દાદાશ્રી : એને અનુસરીને છે આ. એટલે આ બોલવું છે, એના આશયને અનુસરીને જ આ ભાષા હોય છે. વાણી શું છે, એ પ્રોજેક્ટ કરે છે એ ભાષા. પ્રશ્નકર્તા : ભાષા એનું આખું પ્રોજેક્ટ કરે છે ? દાદાશ્રી : હા. આ જાણેલું કામતું જગતમાં જીવવા ? તમને આ બધી વાતો ગમે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આમાં કંઈ પૈસા કમાવાની વાત નથી. તો આ બધી વાતમાં તમને શું ઈન્ટરેસ્ટ પડી ગયો ? પૈસા કમાવાની વાત હોય તો ઈન્ટરેસ્ટ પડે, તો તો આપણે જાણીએ કે પૈસા કમાવાની દરેકને ઇચ્છા જ હોય ને !
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy