________________
૨૫૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૫૩
ભાષા તો આપની ના કહી શકાય.
દાદાશ્રી : સાહિત્યકારની મને શી રીતે આવડે ?
પ્રશ્નકર્તા : સાહિત્યની ભાષામાં તો ભૂલભૂલામણીમાં પડી જઈએ. આ તો સીધું પેસી જાય છે.
દાદાશ્રી : હા, ઊલટાં ગૂંચામણમાં પેસી જાવ અને પારિભાષિક શબ્દો મારી વાણીમાં ના હોય.
પ્રશ્નકર્તા : છતાં ય જે બધી આપ્તવાણી છે ને એ હું સાબિત કરવા તૈયાર છું કે સાહિત્યમાં ગમે તે સ્ટાન્ડર્ડ એપ્લાય કરો, ઊભું રહેશે.
દાદાશ્રી : ના, પણ બીજા માણસો પાછા કેટલાક એમ કહે છે ને, સાહિત્ય ઊંચુ છે. સાહિત્યકારોની વાણી બહુ જુદી જાતની હોય. કારણ કે એમાં સાહિત્યકારનું ડહાપણ હોય ને ! મારું તો આમાં ડહાપણ નામે ય નહીં ને ! સાહિત્યકારોએ મહીં વાઈઝનેસ નાખેલી હોય. આમાં વાઈઝનેસ નહીં ને ! જે આવ્યું એવું લખાયું.
પ્રશ્નકર્તા : સહજ ભાવે જે આવ્યું હોય.
દાદાશ્રી : સહજભાવે જે નીકળ્યું અને તે કહું છું ને ટેપરેકર્ડ. મારી મિલ્કત જ ન્હોય આ બધી.
પ્રશ્નકર્તા : જો આ શબ્દ યોગ્ય નહીં લાગે, તો મારે ફેરવી નાખવો પડશે. ત્યાં આખી રાત અમારે બહુ પ્રયત્ન કરવો પડે. આખી રાત બીજો શબ્દો ગોઠવવામાં કાઢવો પડે.
દાદાશ્રી : અને આમાં કશું એવું ના હોય. આ સહજ વાણી. શબ્દ આઘોપાછો કરે તેની ભૂલ.
પ્રશ્નકર્તા : સાહિત્યકારનાં ટેબલ ઉપર રબર બહુ હોય. દાદાશ્રી : હા. આટલી બધી આપ્તવાણી છપાઈ, ચેકવાનો વારો
આરાધતા ભાષાની કે ભગવાનની ? પ્રશ્નકર્તા : મુંબઈની ભાષા પોલિડ અને તમારી દેશી સીધી ભાષા. દાદાશ્રી : અમારી વાતો બધી ખુલ્લંખુલ્લી, સાદી ભાષામાં !
લોકોએ અર્થને સાચવ્યા, ભાષાને સાચવી. આત્માને સાચવ્યો નથી. લોકો પરમાર્થને જાણતા નથી ને અર્થને સાચવવા ગયા.
પેલી પોલિશ્ક ભાષાને લીધે તો બહેનોને સમજણ ના પડે એટલે એમને ના ફાવે. ત્યાંથી પછી પાછા આવતા રહે. અને તમે તો ત્યાં જાવ. હવે તમે ત્યાં ભાષાની આરાધના કરો છો. ત્યારે બહેનો જાણે કે “આ શું કામનું ?” એટલે આમાં એમને કંટાળો આવે. એટલે જ્યાં બહેનો પાછા આવતા રહે તો જાણવું કે ત્યાં કશું હતું નહીં. અને અહીં છે કશી ભાષા ? અહીં તો ભગવાનની આરાધના છે ને ! અને આ ભાષા એવી નીકળે ને તેથી આ વેદાંત અને જૈન ભેગા થાય છે, નહીં તો ભેગા ના થાય. પેલી ભાષા હોયને તો વેદાંતવાળા જતાં રહે. પણ આ તો ભાષા જ નવી જાતની ઉભી થઈ એટલે બધા ભેગા થાય છે. એટલે બધાને ગમે છે ને ?!
પ્રશ્નકર્તા : કોઈને ઊઠવાનું મન નથી થતું.
દાદાશ્રી : હા, આવડા નાના છોકરાને ય ગમે. આ નાના નાના આવડા આવડા છોકરાઓ અહીંથી ઊઠતા જ નથી ને ! આ લોકો તો કંઈ ભાષાની આરાધના, શબ્દોની આરાધના, મોટી મોટી હાઈ લેંગવેજની આરાધના, પારિભાષિક શબ્દોના અર્થ કરે, તેમાં કલાકોના કલાક કાઢે. પણ આરાધના કોની ? પારિભાષિક શબ્દોની ને ? એમાં ભગવાનને શું લેવાદેવા ? પછી કશું રહે નહીં એમની પાસે. આ બધી સિલક આપણે કો’કને કહીએ કે ‘તમારી સિલકમાં આ છે ! તો એમની પાસે શું રહે ? ભગવાનને પહોંચે એવું છે કશું આમાંનું ? ના, કશું ય નહીં, પણ આ લોકો
ક્યાં પડેલા છે ? હેય, મોટા પારિભાષિક શબ્દોના અર્થ કરે. તે લોક ખુશ થઈ જાય કે ‘કહેવું પડે !' પણ એ ભજના કોની કરે છે ? આરાધના પારિભાષિક શબ્દોની કરે છે, તો ભગવાનને શું લેવાદેવા ? કારણ કે આ શાસ્ત્રોની આરાધના એ પારિભાષિક શબ્દોની આરાધના થઈ !
નહીં.