________________
વાણી, વ્યવહારમાં...
૭૭
૭૮
વાણી, વ્યવહારમાં...
જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી.
(૫૩૩)
પ્રશ્નકર્તા: હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે ?
દાદાશ્રી : હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો કરે.
(૫૩૮)
આપણે નક્કી કરીએ કે ‘કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે. કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ.” ત્યારે એ વાણી સારી નીકળે. ‘સ્યાદ્વાદ વાણી બોલવી છે' એવો ભાવ કરે તો સ્યાદ્વાદ વાણી ઉત્પન્ન થઈ જાય.
વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તો ય વાણી સુધરી જાય.
| (૫૪૦)
પ્રશ્નકર્તા : પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે “બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે” તો તે થઈ જાય ખરી ?
દાદાશ્રી : પણ આ ‘સ્યાદ્વાદ' સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.
પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ?
દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.
પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે.
કોની વાણી સારી નીકળે ? કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ મેં ‘જ્ઞાન’ આપેલું છે, તેને “જ્ઞાન” હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે, એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે ‘પુરુષ’ થાય પછીનો પુરુષાર્થ છે. ‘પુરુષ’ થયા પહેલાં પુરુષાર્થ છે નહીં.
(૫૩૫)
દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ ‘જ્ઞાની પુરુષ'ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે.
જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.
પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો.
પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું ?
દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘૂસવા ના દે.
દાદાશ્રી : અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલું ય ખરો કે ‘તમે નાલાયક છો.” પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે.
માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં