________________
સત્ય-અસત્યના રહસ્યો
૩૫
૩૬
સત્ય-અસત્યના રહસ્યો
મોટામાં મોટો સિદ્ધાંત. વાણીમાં દુઃખ ના થાય, વર્તનમાં દુઃખ ના થાય અને મનથી એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે, વ્યવહાર સત્ય છે, તે ય પાછું ખરેખર ‘રિયલ’ સત્ય નહીં. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે !
પ્રશ્નકર્તા : તો પછી સત્યને પરમેશ્વર કહે છે એ શું છે ?
દાદાશ્રી : આ જગતમાં વ્યવહાર સત્યનો પરમેશ્વર કોણ ? ત્યારે કહે, જે મન-વચન-કાયાથી કોઈને દુ:ખ નથી દેતો, કોઈને ત્રાસ નથી આપતો, તે વ્યવહાર સત્યના ભગવાન અને કોમન સત્યને કાયદાના રૂપમાં લઈ ગયાં. બાકી એ ય સત્ય નથી. આ બધું વ્યવહાર સત્ય છે.
સામાતે ના સમજાય ત્યારે..
એ તો બધો ઉકેલ આવી જાય. પણ આ જૂઠું ને સાચું એ શબ્દ જ હોતો નથી. એ તો ડીમાર્કશન લાઈન છે.
વ્યવહાર ‘ડ્રામા'થી છૂટે ! વ્યવહાર એટલે શું ? બન્નેને સામસામી સંતોષ થવો જોઈએ. વ્યવહારથી તો રહેવું પડશે ને ? બહુ ઊંચી જાતનો સુંદર વ્યવહાર આવે ત્યારે ‘શુદ્ધ ઉપયોગ’ રહે.
પ્રશ્નકર્તા : વ્યવહાર ઊંચો રાખવો હોય તો શું કરવું ?
દાદાશ્રી : ભાવના રાખવી. લોકોનો વ્યવહાર જોવો, અમારો વ્યવહાર જોવો. જોવાથી બધું આવડી જાય. વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. વ્યવહારને ‘કટ ઓફ’ ના કરાય. એ તો આપઘાત કર્યો કહેવાય. વ્યવહાર તો ધીમે ધીમે ખલાસ થવો જોઈએ. આ વિનાશી સત્ય છે એટલે છોડી દેવાનું નથી. આ તો બેઝિક એરેન્જમેન્ટ છે એક જાતની. એટલે પૈણવાનું ય ખરું, મારા વાઈફ છે એવું કહેવાનું ય ખરું, વાઈફને એમેય કહેવાનું કે ‘તારા વગર ગમતું નથી.’ એ તો કહેવું જ પડે. એવું ના કહીએ તો ગાડું શી રીતે ચાલે ? અમે ય હજુ હીરાબાને એમ કહીએ છીએ કે ‘તમે હો ત્યારે મઝા સારી આવે છે. પણ અમારાથી રહેવાતું નથી ન, હવે !”
પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટ !
દાદાશ્રી : હા, નિઃસ્વાર્થ કપટ ! એને ડ્રામા કહેવાય. ધીસ ઈઝ ડ્રામેટિક ! એટલે આ અમે ય બધો અભિનય કરીએ છીએ તમારી જોડે. અમે જે દેખાઈએ છીએ ને, જે વાતો કરીએ છીએ, એ રૂપ અમે નથી. આ તો બધું તમારી જોડે અભિનય કરીએ છીએ, નાટક-ડ્રામા કરીએ છીએ.
એટલે વ્યવહાર સત્ય કોને કહેવાય ? કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે વસ્તુ લે, વસ્તુ ગ્રહણ કરે, કોઈ જીવને દુઃખ ના થાય એવી વાણી બોલે. કોઈ જીવને દુઃખ ના થાય એવું વર્તન હોય. એ મૂળ સત્ય છે, વ્યવહારનું મૂળ સત્ય આ છે. એટલે કોઈને દુઃખ ના થાય એ
પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું. અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછાં.
દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાં ય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવાં એવાં માણસો છે કે જે પડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોય ને, તે આપણા બોલતા પહેલાં આપણી વાત બધી સમજી જાય. હવે એવાં ય માણસો હોય છે, પણ એ આપણને કેમ ભેગા ના થયાં અને આ લોકો જ કેમ ભેગાં થયા ?! આમાં ‘સિલેક્શન' કોનું ?! એટલે બધી જ ચીજ છે આ જગતમાં. પણ આપણને ભેગી નથી થતી, એમાં ભૂલ કોની ? એટલે એ ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.
અવળા આગળ એડજસ્ટમેટ ! પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો શું કરવાનું? દાદાશ્રી : આ બધાં સત્ય છે એ વ્યવહારના પૂરતા સત્ય છે. મોક્ષમાં