SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય-અસત્યના રહસ્યો ૧૯ સત્ય-અસત્યના રહસ્યો સત્ય છે, તમે એમાં પેસો અને એ વિનાશી ના ગમે અને તમારે સનાતન જોઈતું હોય તો અવિનાશીમાં આવો. વિશ્વમાં ‘સત્' વસ્તુઓ... એટલે અત્યાર સુધી જે જાણ્યું હતું, તે લૌકિક હતું. લોકોએ માનેલું, એનું નામ લૌકિક કહેવાય અને વાસ્તવિક એનું નામ અલૌકિક કહેવાય. તો તમારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક જાણવું છે ? પ્રશ્નકર્તા : વાસ્તવિક. દાદાશ્રી : એવું છે, અવિનાશી છ તત્ત્વોથી આ જગત બનેલું છે. પ્રશ્નકર્તા : પણ પાંચ તત્ત્વો છે ને ? દાદાશ્રી : કયા કયા ? પ્રશ્નકર્તા : પૃથ્વી, જળ, આકાશ, તેજ અને વાયુ. દાદાશ્રી : એ આકાશ તત્ત્વ તો અવિનાશી છે અને પૃથ્વી, જળ, વાયુ અને તેજ એ વિનાશી છે. એ ચાર થઈને એક તત્ત્વ થાય છે, એ તત્ત્વ પાછું અવિનાશી છે. જેને પુદ્ગલ પરમાણુ કહેવામાં આવે છે. એ અવિનાશી છે અને પરમાણુ એ રૂપી છે. એટલે આ જે ચાર તત્ત્વો પૃથ્વી, જળ, વાયુ અને તેજ છે એ રૂપી છે. એટલે તમે જે પાંચ તત્ત્વો કહ્યાને, એ તો બે જ તત્ત્વો છે. આ જગતમાં આ પાંચ તત્ત્વોને ગણે છે અને આત્માને છઠું તત્ત્વ ગણે છે, એવું નથી. જો એવું હોત તો તો બધો નિકાલ ક્યારનો ય થઈ ગયો હોત. પ્રશ્નકર્તા : એટલે આપનો અભિપ્રાય એમ છે કે વિશ્વમાં મૂળ છ તત્ત્વો છે ! જેવી વસ્તુ નથી. આ કાયમને માટે, પરમેનન્ટ લખી લેવું હોય તો લખી લેવાય, વાંધો ના આવે. બીજી બધી વિકલ્પી વાતો છે અને તે કોઈએ અહીં સુધી જોયું તો ત્યાં સુધીનું લખાવ્યું, કોઈએ એથી આગળનું જોયું તો ત્યાં સુધીનું લખાવ્યું. પણ આ તો સંપૂર્ણ જોયા પછીનું દર્શન છે અને વીતરાગોનું દર્શન છે આ ! મહાવતેય વ્યવહાર સત્ય જ (?) પ્રશ્નકર્તા : શાસ્ત્રકારોએ સત્યને મહાવ્રતમાં મૂક્યું છે ને ! તો એ સત્ય કયું કહેવાય ? દાદાશ્રી : વ્યવહાર સત્ય ! નિશ્ચયથી બધું જૂઠું !! પ્રશ્નકર્તા ઃ તો સત્ય મહાવ્રતમાં એ લોકોએ શું શું સમાવેશ કર્યો છે ? દાદાશ્રી : જે સત્ય ગણાય તેને, અને અસત્ય હોય તે દુ:ખદાયી થાય લોકોને. સંસારતા ધર્મો, હોય એ મોક્ષનો પાટો ? એવું છે ને, આ સત્ય-અસત્ય એ વસ્તુ જ મોક્ષને માટે નથી. એ તો સંસારમાર્ગમાં બતાવ્યું કે આ પુણ્ય ને પાપ, આ બધાં સાધનો છે. પુણ્ય કરશો તો કો'ક દહાડો મોક્ષમાર્ગ ભણી જવાશે. મોક્ષમાર્ગ ભણી શાથી જવાય ? ઘરમાં બેઠાં બેઠાં ખાવાનું મળશે તો મોક્ષમાર્ગ ભણી જશેને ? આખો દહાડો મહેનત કરવામાં હોય તો શી રીતે કરશે ?! એટલે પુણ્યને વખાણ્યું આ લોકોએ. બાકી મોક્ષમાર્ગ તો સહજ છે, સરળ છે, સુગમ છે. પેલો ‘રિલેશનનાં આંકડાવાળો અને અહીં મોક્ષમાર્ગમાં ‘નો-રિલેશન' !!! પ્રશ્નકર્તા : તો સંસારમાં બધા ધર્મો પાળ્યા તો ય એને મોક્ષનાં સાંધાનું ઠેકાણું જ નહીં ને ? દાદાશ્રી : મોક્ષની વાત જ ના કરવી ! આ અજ્ઞાનની જેટલી સ્લાઈસ પાડીએ એ બધી અજવાળારૂપ ના હોય. એકંય સ્લાઈસ દાદાશ્રી : હા, છ તત્ત્વો છે અને આ જગત જ છ તત્ત્વોનું બનેલું છે. આ છેલ્લી વાત કહું છું. આગળ ચાળવા જેવી આ વાત ન હોય. આ બુદ્ધિની કે વાત ન હોય. આ બુદ્ધિની બહારની વાત છે, એટલે આ ચાળવા
SR No.008872
Book TitleSatysa Asatya Na Rahasyo
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size276 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy