SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય-અસત્યના રહસ્યો ૧૧ ૧૨ સત્ય-અસત્યના રહસ્યો હું ચંદુભાઈ છું’ એવી માન્યતા છે ત્યાં સુધી પરમ સત્ય પમાય જ નહીં. ‘ચંદુભાઈ તો મારું નામ છે ને હું તો આત્મા છુંએવું પ્રાપ્તિ થાય, આત્માનું ભાન થાય તો પરમ સત્ય પમાય. તો આત્મા’ એ જ સત્ ! હવે ખરું સત્ કર્યું ? તમે આત્મા છો, અવિનાશી છો એ ખરું સત્ છે ! જેનો વિનાશ ના થાય એ ખરું સત્ છે. જે ભગવાન છે એ સત્ જ કહેવાય. બાકી, જગતે સત્ જોયેલું જ ના હોય. સત્ની તો વાત જ ક્યાં હોય ! અને આ જે સત્ય છે તે તો અસત્ય જ છે છેવટે. આ સંસારનાં બધા જે નામો આપેલાં છે એ બધાં ય સત્ય છે, પણ વિનાશી છે. હવે ‘ચંદુભાઈ એ વ્યવહારમાં સારું છે, એ સત્ય છે પણ ભગવાનને ત્યાં અસત્ય છે, શાથી ? પોતે અનામી છે. જ્યારે આ ‘ચંદુભાઈ” એ નામી છે, એટલે તેમની નનામી નીકળવાની. પણ અનામીની નનામી નથી નીકળતી. નામવાળાની નનામી નીકળે છે. અનામીની નનામી નીકળે ? એટલે આ સત્ય વ્યવહાર પૂરતું જ સત્ય છે. પછી એ અસત્ય થઈ જાય જુદાં છે. સત્ય એ જગતને લાગુ થાય છે, વ્યવહારને લાગુ થાય છે અને સત્ એ નિશ્ચયને લાગુ થાય છે. એટલે આ વ્યવહારને જે સત્ય લાગુ થાય છે એ વિનાશી છે. અને સચ્ચિદાનંદનું સત્ એ અવિનાશી છે, પરમેનન્ટ છે. બદલાય જ નહીં, સનાતન છે. જ્યારે સત્ય તો વારેઘડીએ બદલાયા કરે, એને ફરતાં વાર ના લાગે. પ્રશ્નકર્તા: એટલે સત્ય એ આપની દ્રષ્ટિએ સનાતન નથી ? દાદાશ્રી : સત્ય એ સનાતન વસ્તુ નથી, સત્ સનાતન છે. આ સત્ય તો કાળને આધીન ફરતું જાય છે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? જરા સમજાવો. દાદાશ્રી : કાળ પ્રમાણે સત્ય ફરે. ભગવાન મહાવીરના કાળમાં જો કદી ભેળસેળ કર્યું હોય ને, તો લોક મારી મારીને એને બાળી મેલે. અને અત્યારે ? આ જમાનો એવો આવ્યો છે ને, તે બધે ભેળસેળવાળું જ મળે છે ને ?! એટલે આ બધું સત્ય ફર્યા કરવાનું. જેને આગળના લોકો કિંમતી વસ્તુ ગણતા હતા, તેને આપણે નકામી કહીને કાઢી નાખીએ છીએ. આગળના લોકો જેને સત્ય માનતા હતા અને અસત્ય કહીને કાઢીએ છીએ. એટલે કાળે કાળે સત્ય બદલાયા જ કરે. માટે એ સત્ય કાળવર્તી છે, સાપેક્ષ સત્ય છે ને પાછું વિનાશી છે. જ્યારે સત્ એટલે અવિનાશી. સનો સ્વભાવ ! પ્રશ્નકર્તા : સત્-ચિત્ આનંદ જે શબ્દ છે તેમાં સત્ છે એ સત્ય કે સત્ ? ને આ સત્ય જુદું ? દાદાશ્રી : આ સત્ય તો જુદી જ વાત છે. આ જગતમાં જે કહેવાતું સત્ય, એ તદન જુદી જ વાત છે. સનો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય. અવિનાશી હોય ને જોડે જોડે ગુણ-પર્યાય સહિત હોય અને અગુરુલઘુ સ્વભાવવાળો હોય. અગુરુલઘુ એટલે પૂરણ ના થાય, ગલન ના થાય, વધે નહીં, ઘટે નહીં, પાતળું ના થઈ જાય, એનું નામ સત્ કહેવાય. આત્મા એ સત્ છે. પછી પુદ્ગલ એ ય સત્ છે. મૂળ જે પુદ્ગલ છે પરમાણુ સ્વરૂપે ‘હું ચંદુભાઈ છું” એ નામના આધારે સાચું, પણ ‘તમે ખરેખર કોણ છો’ એ આધારે ખોટું. જો તમે ખરેખર કોણ છો એ જાણી જાવ તો તમને લાગે કે આ ખોટું છે. ને તમે ‘ચંદુભાઈ ક્યાં સુધી ? કે જ્યાં સુધી તમને “જ્ઞાન” પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે ‘ચંદુભાઈ” અને “જ્ઞાન” થાય ત્યાર પછી લાગે કે ‘ચંદુભાઈ” પણ અસત્ય છે. સત્ય, પણ કાળવર્તી ! સત્ય એ સાપેક્ષ છે, પણ જે સત્ છે એ નિરપેક્ષ છે, એને અપેક્ષા કશી લાગુ ના થાય. પ્રશ્નકર્તા : સત્ અને સત્યમાં બીજો કંઈ ફેર હશે ? દાદાશ્રી : સત્ય વિનાશી છે અને સત્ અવિનાશી છે. બેઉ સ્વભાવથી
SR No.008872
Book TitleSatysa Asatya Na Rahasyo
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size276 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy