________________
દાદા ભગવાન કથિત
સત્ય અને અસત્યના
રહસ્યો
સત્ય ને અસત્ય વચ્ચેનો ભેદ શું?
અસત્ય તો અસત્ય છે જ, પણ આ જે સત્ય છેને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઈ એ કાયમના જમાઈ ના હોય, સસરો ય કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઈ જાય, અસત્ય ઠરે. છતાં સાંસારિક સુખ જોઈતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઈએ અને મોક્ષે જવું હોય તો આ (વ્યવહાર) સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે !
- દાદાશ્રી
INNOILLA
"NSTXjv 16 1"