SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દાદા ભગવાન’ કોણ ? જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” આત્મજ્ઞાન પ્રાપ્તિતી પ્રત્યક્ષ લિંક પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. દાદા ભગવાત પ્રરૂપિત આધ્યાત્મિક પ્રકાશનો ૧. ભોગવે તેની ભૂલ ૨. બન્યું તે જ ન્યાય ૩. એડજસ્ટ એવરીવ્હેર ૪. અથડામણ ટાળો ૫. ચિંતા ૬. ક્રોધ ૭. માનવધર્મ ૮. સેવા-પરોપકાર ૯. હું કોણ છું ? ૧૦. દાદા ભગવાન ? ૧૧. ત્રિમંત્ર ૨૪. સત્ય-અસત્યના રહસ્યો ૨૫. અહિંસા ૨૬. પ્રેમ ૨૭. ચમત્કાર ૨૮. વાણી, વ્યવહારમાં.... ૨૯. નિજદોષ દર્શનથી, નિર્દોષ ૩૦. ગુરુ-શિષ્ય ૩૧. આપ્તવાણી - ૧ ૩૨. આપ્તવાણી - ૨ ૩૩. આપ્તવાણી - ૩ ૩૪. આપ્તવાણી - ૪ ૩૫. આપ્તવાણી - ૫-૬ ૩૬. આપ્તવાણી - ૭ ૩૭. આપ્તવાણી - ૮ ૧૨. દાન ૧૩. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ૧૪. ભાવના સુધારે ભવોભવ ૩૮. આપ્તવાણી - ૯ ૩૯. ૧૫. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૬. પૈસાનો વ્યવહાર (ગ્રં., સં.) ૧૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.) ૪૦. ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (ગ્રં., સં.) ૪૧. ૧૯. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૪૨. આપ્તવાણી - ૧૦ (પૂ.,ઉ.) આપ્તવાણી - ૧૧ (પૂ.,ઉ.) આપ્તવાણી - ૧૨ (પૂ.,ઉ.) આપ્તવાણી - ૧૩ (પૂ.,ઉ.) ૨૦. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં., સં.) ૪૩. આપ્તવાણી - ૧૪ (ભાગ ૧-૨) ૨૧. વાણીનો સિદ્ધાંત ૪૪. આપ્તસૂત્ર ૨૨. કર્મનું વિજ્ઞાન ૪૫. ક્લેશ વિનાનું જીવન ૨૩. પાપ-પુણ્ય F ૪૬. સહજતા (ગ્રં.-ગ્રંથ,સં.-સંક્ષિપ્ત, પૂ.-પૂર્વાર્ધ, ઉ.-ઉતરાર્ધ) હિન્દી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, મલયાલમ તથા સ્પેનીશ ભાષામાં ભાષાંતર થયેલા પરમ પૂજ્ય દાદા ભગવાનના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ‘દાદાવાણી' મેગેઝિન દર મહિતે ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે.
SR No.008871
Book TitleSahajta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2010
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size66 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy