SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રેમ ના આવે છે. આ તો ડ્રામા પૂરતું જ હતું, કહે. એ સમજાયું ને ? પ્રશ્નકર્તા : હા, સમજાય છે. દાદાશ્રી : એટલે છોકરાને કહીએ, ‘આય ભાઈ, બેસ બા. તારા વગર મારું બીજું કોણ છે ?” અમે તો હીરાબાને કહેતા'તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં. પ્રશ્નકર્તા : બાને સાચુંય લાગે. દાદાશ્રી : હા, સાચું જ હોય. મહીં અડવા ના દઈએ. પ્રશ્નકર્તા : પહેલાંના જમાનામાં મા-બાપને છોકરાઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધી કરવાનો ટાઈમ જ નહોતો અને કંઈ પ્રેમ આપતાય નહોતા. બહુ ધ્યાન નહોતા આપતા. અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તોય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ? - દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલાં બધાં થઈ ગયાં છે. પ્રશ્નકર્તા : હા. અને મા-બાપ પણ પ્રેમનાં ભૂખ્યાં હોય કે અમારા છોકરાઓ છે, વિનય-બિનય રાખે. દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલી મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ. પ્રશ્નકર્તા : છોકરાઓમાં મા-બાપ પ્રત્યેનો પ્રેમ ઘણો છે. દાદાશ્રી : છોકરાનેય ઘણું છે ! પણ છતાં ટકરાયા કરે. આસક્તિ, ત્યાં સુધી ટેન્શત ! પ્રશ્નકર્તા : જેમ લાગણી વધારે તેમ તેનામાં પ્રેમ વધારે એવી માન્યતા છે. દાદાશ્રી : પ્રેમ જ નથી હોતો ને, આસક્તિ છે બધી. આ જગતમાં પ્રેમ શબ્દ હોતો નથી. પ્રેમ બોલવો એ ખોટી વાત છે. એ મહીં આસક્તિ હોય છે. પ્રશ્નકર્તા : તો આ લાગણી અને લાગણીવેડા, એ સમજાવવા કૃપા કરશો ? દાદાશ્રી : લાગણી ને લાગણીવેડા એ ‘ઈમોશનલ'માં જાય. માણસ મોશન'માં ના રહી શકે એટલે ‘ઈમોશનલ” થાય. પ્રશ્નકર્તા : અંગ્રેજીમાં ‘ફિલિંગ’ અને ‘ઈમોશન’ બે શબ્દો છે. દાદાશ્રી : હા, પણ ‘ફિલિંગ” એ જુદી જ વસ્તુ છે અને ‘ઈમોશનલ વસ્તુ જુદી છે. લાગણી ને લાગણીવેડા ‘ઈમોશનલ’માં જાય. કંઈ પણ લાગણી છે, આસક્તિ છે ત્યાં સુધી માણસને “ટેન્શન’ ઊભું થાય અને “ટેન્શનથી પછી મોટું બગડેલું હોય. અમારે પ્રેમ છે, તેથી તો ‘ટેન્શન’ વગર રહી શકીએ છીએ. નહીં તો બીજો માણસ “ટેન્શન’ વગર રહી શકે નહીં ને ! ‘ટાન” હોય જ બધાને, જગત આખું ‘ટેન્શન'વાળું ! લાગણીઓનું વહેણ, ‘જ્ઞાતી'તે ! અમને ‘જ્ઞાની પુરુષ'ને લાગણીઓ હોય. હા, જેવી હોવી ઘટે એવી રીતે હોય. અમે તેને ‘હોમ'માં અડવા ના દઈએ. એવો કાયદો નથી કે મહીં ‘હોમ'માં સ્પર્શ થવા દેવો. લાગણી ના હોય તો મનુષ્ય જ કેમ કહેવાય ? પ્રશ્નકર્તા : આપે કહ્યું કે લાગણી તો અમને પણ હોય. તમને જેવી હોય, એનાં કરતાં અમને ઊંચી લાગણી હોય, બધાને માટે હોય. દાદાશ્રી : લાગણી હોય. અમે લાગણી વગર હોઈએ નહીં. પ્રશ્નકર્તા : પણ છતાંય આપને એ લાગણી ‘ટચ નથી થતી.
SR No.008870
Book TitlePrem
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2005
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size335 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy