________________
સામાયિકની પરિભાષા
પ૩૫
૫૩૬
પ્રતિક્રમણ.
શુદ્ધ ઉપયોગપૂર્વક, આખી જિંદગીમાં થયેલા, વિષયસંબંધી દોષોનું સામાયિક-પ્રતિક્રમણ કરવાની શક્તિઓ આપો.
દાદાશ્રી : દોષો જોવાની શક્તિ.
નીરુબેન : મને વિષયસંબંધી થયેલા દોષોને જોવાની શક્તિઓ આપો.
હું મન-વચન-કાયા, મારા નામની સર્વ માયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુનાં સુચરણોમાં સમર્પણ કરું
દાદાશ્રી : હું શુદ્ધાત્મા છું (૫) હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન-વચન-કાયાથી તદન જુદો એવો શુદ્ધાત્મા છું. હું ભાવકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્યકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું નોકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાનવાળો છું. (૫) હું અનંત દર્શનવાળો છું. (૫) હું અનંત શક્તિવાળો છું. (૫) હું અનંત સુખનું ધામ છું. (૫) હું શુદ્ધાત્મા છું. (૫) હવે અંદર ઊંડા ઉતરવા માંડો. (સામાયિક કર્યા પછી....) પ્રશ્નકર્તા : સામાયિક તો બહુ કામ કાઢી નાખે. દાદાશ્રી : એકલા હોય તો બધું જેવું જોઈએ તેવું ના થાય. તમને
હું બોલાવું એટલે મહીં બધું છૂટું થઈ જશે.
પ્રશ્નકર્તા : આ પહેલીવાર સામાયિક કરી. ગમ્યું !
દાદાશ્રી : એ તો રાગે પડી જશે. અને આપણું આ સામાયિક તો એ વસ્તુને આત્મા પ્રત્યક્ષ કરવી. આ આત્માનું સામાયિક કહેવાય. એમાં પુદ્ગલને લેવાદેવા નહીં. પુદ્ગલ જોડે લેવાદેવા નહીં. પુદ્ગલનો જ્ઞાતા થઈને કામ કરે એવું આ સામાયિક છે. એવું કોઈ દહાડો દેખાયેલું નહીં ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : નવેનવું છે. કોકને બરોબર ના થયું હોય, પણ આ બહુ સુંદર ઉપાય છે.
તમને ક્યાં સુધી દેખાયું ? પ્રશ્નકર્તા : નાનપણથી અત્યાર સુધી.
દાદાશ્રી : બધું દેખાય, આમ ફોટા સાથે દેખાય. કોઈને ચૂંટી ખણી હોય તેય દેખાય. બચકું ભરી લીધું હોય તેય ખબર પડે.
(નવા મુમુક્ષુને) તમારે ખેદ નહીં કરવાનો. તમને ના દેખાય. કારણ કે મેં તેમને હજુ દૃષ્ટિ નથી આપીને. હું તમને દૃષ્ટિ આપીશ પછી દેખાશે. બધા બેઠા હોય ત્યારે તમે ક્યાં જઈને બેસી ?
પ્રશ્નકર્તા : કોશિશ કરી જોવાની.
દાદાશ્રી : હા, ખરું. નહીં તો મનમાં થાય કે દાદાએ મને આ જંગલમાં ક્યાં ઘાલ્યો ?
વિધ વિધ અનુભવો સામાયિકમાં પહેલી જ વખત કર્યું? પ્રશ્નકર્તા : હા.