________________
(૨૩) મન માંડે મોંકાણ ત્યારે
૩૮૧ દાદાશ્રી : નિવારણ તો, આપણે પશ્ચાત્તાપ, પ્રતિક્રમણ કરીએ તે, સાચું પ્રતિક્રમણ હંઅ, તો એ નિવારણ થાય. નહીં તો નિવારણ કોઈ રસ્તે થાય નહીં. આ તો પસ્તાવો કરીએ, કે અશાતના થઈ છે. એવું પશ્ચાત્તાપ કરીએ તો કંઈ ફેરફાર થઈ જાય. પણ બધા કરીએ ત્યારે ફેરફાર થાય. એકલા કરો તો કેટલુંક વળે ?
[૨૪] જીવનભરના વહેણમાં, તણાતાએ તારે જ્ઞાતા
યાદ આવે તે ચોખ્ખું થવા પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ?
દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથુ ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરી (મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા.
આ સ્મૃતિ ઇટસેલ્ફ બોલે છે કે “અમને કાઢ, ધોઈ નાખ.” જો સ્મૃતિ ના આવતી હોત તો બધા લોચા પડી જાત. એ જો ના આવે તો તમે કોને ધોશો ? તમને ખબર શી રીતે પડે કે ક્યાં આગળ રાગદ્વેષ છે ? સ્મૃતિ આવે છે એ તો એની મેળે નિકાલ થવા આવે છે, ચોંટને ધોઈ નખાવવા આવે છે. જો સ્મૃતિ આવે ને તેને ધોઈ નાખો, ચોખ્ખું કરી નાખો, તો એ ધોવાઈને વિસ્મૃત થઈ જાય. યાદ એટલા માટે જ આવે છે કે તમારે અહીં ચોંટ છે તે ભેંસો, તેનો પશ્ચાત્તાપ કરો અને ફરી એવું ના થાય એવો દેઢ નિશ્ચય કરો. આટલાથી તે ભૂંસાય એટલે એ વિસ્મૃત થાય. કોઈ એક વખત યાદ આવે તો તેનું એક વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.