________________
સ
મ હૈ ણ
અતિક્રમણોની વણથંભી વહી વણઝાર; વિષમકાળે પલ-પલ કષાયી વ્યવહાર.
પતિ-પત્ની, માબાપ-છોકરામાં વાણીના ગોળીબાર; વર્તને કે મનથી સતત દુઃખોના ઉપહાર.
ત્રિમંત્ર
છતાં દાદાએ દીધું “પ્રતિક્રમણ'નું હથિયાર; નર્કમાંથી સ્વર્ગ સ્થપાય, ઘરમાં ને બહાર.
લાખો લોકોએ અજમાવ્યું, ફર્યા મૂળથી સંસ્કાર; મોક્ષને લાયક બનાવે અક્રમનો ‘આ’ ઉપહાર.
વીતરાગોના પ્રતિક્રમણનો દાદા થકી ફરી પ્રસાર; જગને સમર્પણ, જે ઝીલશે, તે પામશે મુક્તિનો હાર.