________________
સ મ ર્પણ
ત્રિમંત્ર
પતિ-પત્નીના વ્યવહારમાં ખટપટો; બન્નેના દ્ધયમાં કેમ કરી જલ્દી મીટો. ડાઈનીંગ ટેબલ હો કે હો બેડરૂમ; મારું કેમ ન માન્યું’ સંભળાય ત્યાં બૂમ. વન ફેમિલિ છતાં મારી-તારી કંકાસ; ક્લેશ-કષાયો-આક્ષેપો ને મારે ડંફાસ. રગડા-ઝધડા-ઘર્ષણો-વે૨ ને બદલો; ધણીપણું ને શંકા-કુશંકાના પડળો. સમય વર્તે અસાવધ, ક્યાં ગયા કોલ ? સપ્તપદીનો શું સાર ? ફેંકે ગાળોના બોલ ! અપેક્ષા-વિષયાસક્તિ કરાવે કકળાટ; શુદ્ધ પ્રેમ તે અઘટ-અવધ અઘાટ. સંબોધે દેવ-દેવી એ કબીજાને જયારે;
સ્વર્ગ વર્તે ત્યાં બાળકોને સંસ્કારે. દાદાએ શાન દઈ સુધાર્યા સંબંધો; છૂટાછેડામાંથી ઉગારી પ્રસારી સુગંધો. અને કોને બોધતી વાણીનું સંકલન; ‘પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર’ અત્રે પ્રકાશન. ઘરમાં જ સ્વર્ગ ને પ્રેમમય જીવન; સ્થાપવા આ ગ્રંથ “પતિ-પત્ની’ને સમર્પણ.
- ડૉ. નીરુબહેન અમીત