SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બાપ રાતદા'ડો સખ્ત મહેનત કરીને પૈસા કમાય ને છોકરાં નવાબની જેમ ઉડાવે ! શા માટે ? એવા કુદરતના કાયદાને સમજે તો છે કંઈ ઉપાધિ ?! છોકરાં શું માને કે બુઢાંની બુદ્ધિ બહુ બહેર મારી ગઈ છે તેથી અમે કરતા હોઈએ તે ના કરવા દે ! પણ આપણે કંઈ લગાડયા વગર પ્રેમથી ફરજો બજાવ્યે રાખવી. છોકરાં ગમે તેટલું સામું બોલે તો ય એની નોંધ રાખ્યા કરીએ તો ચોપડો કેવોક તે ચીતરાય ?! ‘સહુ સહુના ઉદયકર્મને આધીન છે” આટલું સમજાય તો કંઈ ડખો રહે ? બાળકોને સ્વતંત્રતા આપી તેથી સત્યનાશ વળ્યો ! હવે શું ? હવે ખૂબ ધીરજથી ભૂલ સુધારવાની જ રહીને ! છેવટે પ્રાર્થનાનો ઉપાય કરવો ! “હે દાદા ભગવાન, છોકરાને સબુદ્ધિ આપજો' એ ય ઘણું કામ કરે છે જ્ઞાનથી જ હિસાબોની પતાવટ કરવાની ! કંઈક ગૂંચ પડી કે તરત જ પોતાની મહીં જ તપાસ કરી લેવી કે કયાં ભૂલ થઈ ગઈ ? શોધીને ભૂલ ભાંગવી. ‘હું શુદ્ધાત્મા છું.’ ‘બન્યુ તે જ ન્યાય’ ‘વ્યવસ્થિત છે, એમ અક્રમ જ્ઞાનનો ઉપયોગ કરતાં જ નીવેડો તુર્ત જ આવી જાય તેમ છે ! કોઈના ઘરનાં ઝગડામાં ન ઘલાય હાથ, નહિ તો આપણા જ માથે આવશે ને પેલા બે એક થઈ જશે ! ઘરમાં વડીલોથી વડીલપણું છૂટી જાય, નાના થઈ જવાય તો પૈડપણ શાંતિથી જાય. નહીં તો છોકરાં વારંવાર દબડાય દબડાય કરશે ! સાસુ વહુને બહુ કકળાટ થાય તેના કરતાં પ્રેમથી જુદા રહેવું ઉત્તમ. છોકરાં પરદેશમાં હોય તો ય આસક્તિ મૂકી દેશમાં એકલા રહી આત્મકલ્યાણમાં રત રહેવું સારું. ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ ભેગી થાય એટલે બગીચો કહેવાય, એક સરખી પ્રકૃતિઓ હોય તે તો ખેતરાં કહેવાય ! કળિયુગમાં ઘેર ઘેર બગીચો હોય. ગુલાબ, મોગરાં, ધંતૂરો, હોય ને થોરે ય હોય ! કોઈ ઉડાઉ, કોઈ લોભી, કોઈ વેદીયો ઘરમાં હોય. દરેકની પ્રકૃતિને ઓળખીને કામ લેતાં આવડે, માળી થતાં આવડે તો બગીચો કેવો દીપી ઊઠે ?! ૧૦. શંકાતાં શૂળ ! છોડી રાત્રે મોડી આવે તો મા-બાપને શંકા પડે કે કોની જોડે રખડતી હશે ? પૂજય દાદાશ્રી કહે છે કે શંકા ભયંકર આત્મઘાતી માન્યતા છે ! શંકાથી કશું વળે નહિ ને મારી નાખશે. શંકા ઊઠતાં જ મૂળમાંથી ઊખેડી નાંખવી. છોડી પરનાતમાં પરણી ગઈ તો ડાહ્યા થઈ સ્વીકારી લેવું. છેક પરણી જતાં સુધી વિરોધ રાખવો પણ પરણી ગઈ પછી, બન્યું તે કરેકટ, આ જ એનો પાછલા ભવથી ભાવેલો ધણી, એમ વાસ્તવિકતાને સમજી સ્વીકારી લેવું તેને જ ડહાપણ કહેવાય. છોડીની કાળજી રખાય પણ શંકા ના કરાય. કાળજી એટલે છોકરા નોબીલીટી અને ઓપન માઈન્ડથી પૂજય દાદાશ્રી કાયમ ચાલેલા. આપણી દ્રષ્ટિથી સામાને કેવી રીતે ચલાવાય ? વીતરાગોની વિરોધી વાત થઈ એ તો ! છોકરા જોડે કળથી કામ લેવાય. બાવળીયાને ઘણથી કંઈ કપાય ?' પોતાના ઘરનું તાળું પોતાને જ ઊઘાડતાં ન આવડે તો બીજો શું કરે ? નવ મહિના મફતમાં ભાડે રહ્યા, પણ મા દવા પીવડાવે ત્યારે માના મોંઢા પર ફુઉઉ... કરે બધી દવા !!! છોકરો દારૂડિયો હોય ત્યાં શું કરવું ? જોઈ લેવું કે બેમાં ભોગવે છે કોણ ? આપણે. માટે આપણી ભૂલ ! ભોગવે તેની ભૂલ ! વહુ આપણને ગાળો દે તો આપણે શો ઉપાય ગોઠવવો ? છોકરાં સાથે ડહાપણથી કામ લેવું, નહીં તો સામા થશે ને પૈડપણ રોળશે ! આસક્તિનો જ માર પડે છે ! વીતરાગતાથી છૂટી જવાનું છે ! 22
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy