SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ-શિષ્ય ગુરુ-શિષ્ય ૩૧ ના કહીશ. મને ગમતું નથી. ગુરુ, એનો અર્થ શું ? બહાર પૂછી આવ બધે.” ગુરુનો અર્થ ભારે કે હલકો ? પ્રશ્નકર્તા : ભારે. દાદાશ્રી : તો ભારે એટલે અવશ્ય ડૂબે. એ તો ડૂબે તો ડૂબે, પણ એની પર બેઠાં હોય તે બધાની જળસમાધિ થયેલી. આ જગતમાં એ જ થઈ રહ્યું છે. એટલે મને ગુરુ ક્યાં કરો છો ! એટલે ગુરુને આપણે પૂછવું જોઈએ કે ‘હે ગુરુ મહારાજ, આપની પાસે ડૂબાય નહીં એવી ગુરુકિલ્લી છે ? આપ ભારે છો એટલે ડખ્યા વગર રહેશો નહીં અને અમને ય ડૂબાડશો. તો આપની પાસે ગુરુકિલ્લી છે ? આપ ડૂબો એવા નથી ને ? તો હું તમારી જોડે બેસું.” એ ‘હા’ કહે તો બેસવું. પ્રશ્નકર્તા કોઈ એવું તો કહે જ નહીં ને, કે હું ડૂબું એવો છું ? દાદાશ્રી : હા, પણ આપણે કહીએ ને, કે “તમારામાં સાહેબ, અક્કલ જરા ઓછી છે.” એટલું કહીએ એટલે તરત ખબર પડી જાય કે આ ડૂબે એવા છે કે નહીં તે ! નહીં તો ગુરુકિલ્લી વગરનાં બધા ગુરુ ડૂળ્યા. તે ડૂળ્યા, પણ બધા શિષ્યોને ય ડૂબાડ્યા. પાછું ક્યાં જશે તેનું ઠેકાણું નથી. ગુરુ પાસે ગુરુકિલ્લી હોય તો એ ના ડૂબે. કારણ કે પહેલાંના વખતમાં ગુરુઓના ગુરુ હોય ને, તે પરંપરાથી કંચી આપતા જાય. પોતાના શિષ્યોને શું કહે ? તમે ગુરુ થજો, પણ ‘આ’ ગુકિલ્લી પાસે રાખજો. તો ડબશો નહીં ને ડબાડશો નહીં. તે અત્યારે આ ગુરુઓને પૂછું છું કે ‘કિલ્લી છે કશી ?” “એ શાની કિલ્લી ?' ત્યારે આ તો રખડી મર્યા ! ના બેસવા દઈશ ઉપર કોઈને. આ ગુરુકિલ્લી તો ભૂલી ગયા. ગુરુલ્લિીનું જ ઠેકાણું નથી. આ કળિયુગ છે માટે ડૂબે, સત્યુગમાં નહોતું ડૂબતું. પ્રશ્નકર્તા : પણ ગુરુ તો તારણહાર હોય, તે ડૂબાડે નહીં. દાદાશ્રી : ના, પણ એની પાસે ગુરુકિલ્લી હોય તો એ તરે ને બીજાને તારે. અને ગુરુકિલ્લી નહીં હોય ને, તો તું લાંબો થઈ જઈશ. લોક તો વાહ વાહ કરે જ છે, પણ પછી એ ગુરુનું મગજ ફાટે. મગજની નસ તૂટી જાય પછી. આ મને શું વાહ વાહ ના કરે લોકો ?! એટલે ગુરુકિલ્લી હોય તો કામનું છે. ગુરુકિલ્લી એટલે એવું કંઈક પોતાની પાસે સાધન હોય કે જે કિલ્લી ડૂબવા ના દે. એ કિલ્લી નામની સમજણ છે, ને ગુરુઓ ખાનગી-પ્રાઈવેટલી આપે છે. જે મહાન ગુરુઓ છે, જ્ઞાની પુરુષ, એ પ્રાઈવેટલી આપે કે તમે આ રીતે તમારા શિષ્યો જોડે કામ લેશો તો તમે ડૂબશો નહીં ને બીજા ડૂબશે નહીં. પ્રશ્નકર્તા : ગુરુ થવા માટે ગુરુકિલ્લી જોઈએ, તો એ ગુરુકિલ્લી શું છે ? દાદાશ્રી : જ્ઞાની પુરુષ એને એવી સમજણ પાડી દે કે “તું આમ છે ને આ બધું આમ છે. તું આ ગુરુ થઈ બેઠો નથી. નામધારી ગુરુ થઈ બેઠો છે. તું અનામી છે. તું લઘુતમ રહીને ગુરુતા કરજે, તો તું તરીશ અને બીજા લોકોને તારીશ.” આ તો ગુકિલ્લી એમની પાસે છે નહીં ને ગુરુ થઈ બેઠા છે. ગુરુકિલ્લી “જ્ઞાની” પાસે સમજી લેવી જોઈએ. ‘જ્ઞાની પુરુષ પાસેથી ગુરુકિલ્લી લઈ આવવી જોઈએ, તો એની સેફસાઈડ. એટલે લોકો અમને કહે છે કે, ‘તમે શું છો ?” મેં કહ્યું, ‘હું તો લઘુતમ પુરુષ છું. મારાથી આ દુનિયામાં કોઈ નાનો જીવ જ બીજો નથી.’ હવે લઘુતમ પુરુષ કોઈ જગ્યાએ ડૂબે ? પ્રશ્નકર્તા : ના ડૂબે. દાદાશ્રી : લઘુતમ ! એટલે ખાલી સ્પર્શ થાય, પણ ડૂબે નહીં. અને મારી જોડે બેઠાં તે ય ના ડૂબે. કારણ કે જ્ઞાની પુરુષ પોતે લઘુતમ હોય અને તરણતારણહાર થયેલા હોય, પોતે તર્યા છે ને અનેક લોકોને તારવાને સર્મથ હોય. ફેર ગુરુ અને જ્ઞાતીમાં..... પ્રશ્નકર્તા: ગુરુ અને જ્ઞાની પુરુષ એ બેનો તફાવત સમજાવો. દાદાશ્રી : જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર ! હંમેશાં ગુરુ સંસારને માટે જ કરવામાં આવે છે. મુક્તિ માટે તો જ્ઞાની પુરુષ સિવાય
SR No.008853
Book TitleGuru Shishya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size409 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy