________________
૧૩૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે મને ગમતું હતું ! મનનું માને એ માણસ જ ના કહેવાય, એ મશીનરી ના કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ?
સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ? એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું છે ? જાનવરો ય એનું માને ને તમે ય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૭ તમે ના આપશો ! મેં કહ્યું, ‘હું આશીર્વાદ નથી આપતો. તમારો વેષ દેખાડું છું આ !” અત્યારથી જો ચેતો નહીં ને પોતાના હાથમાં લગામ લીધી નહીં તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો ? ત્યારે કહે, ‘બળદ જ્યાં લઈ જાય ત્યાં !' બળદ જે દિશામાં જાય, એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને ?
પ્રશ્નકર્તા: ધારેલા રસ્તે લઈ જાય.
પ્રશ્નકર્તા : ઘણી વખત.
દાદાશ્રી : સારું. મનના ચલાવ્યું ચાલે, એ તો મિકેનિકલ કહેવાય. પેટ્રોલ મહીં પુરીએ એટલે મશીન ચાલ્યા કરે. તને ય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તો ય પૈણાવડાવે !
પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય.
દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલવા દે. તો પછી પોતાનું ચલણ જ નથી.
પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઈચ્છા એટલી સ્ટ્રોંગ નહીં.
દાદાશ્રી ઓ હો, તો તો આ બધો ધર્મ કરવાની ઈચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહીં ને પાછો !
સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટમાં ઠેકાણે બેસે નહીં, તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પણી જાય તો સારું.
દાદાશ્રી : ને આ તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. ‘એ આ બાજુ જાય છે તો હું શું કરું ?” કહે છે ! તો એના કરતાં પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહીં ને ! નિશ્ચયબળ છે નહીં. પોતાનું કશું છે નહીં. પોતાની કશી લાયકાત છે નહીં. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ?
પ્રશ્નકર્તા : ના જવા દેવાય. દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ?
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું. નહીં તો ખબર જ નથી પડતી.
દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે ‘મને મહીંથી, એવું જાગ્યું, એટલે ઊઠી ગયો સામાયિક કરતાં કરતાં !”
પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી.
દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહીં. પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય.
પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે, એટલે એવું થાય કે હવે બેસવું
આ બ્રહ્મચર્ય પાળે છે, તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો'કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ?
બ્રહ્મચર્યવાળો તો કેવો હોય માણસ ? હેય, સ્ટ્રોંગ પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતાં હશે ? તેથી તો હું વારેઘડીએ કહ્યું છું કે ‘તમે જતા રહેશો, પૈણશો.” ત્યારે તમે કહો છો કે એવા આશીર્વાદ