SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ૨૯૫ ૨૯૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) છે કે દેખી શકાતું નથી ? દાદાશ્રી : ચારિત્ર સમજ્યો જ નથી ત્યાં આગળ ! ચારિત્રનું બાહ્ય લક્ષણ શું ? ત્યારે કહે, વીતરાગતા, રાગ-દ્વેષ થાય નહીં. ચારિત્ર અંદર છે કે નહીં તે ખોળવું હોય તો બાહ્ય લક્ષણ જોવું પડે. ગાળ ભાંડે તો પણ એની પર દ્વેષ નહીં અને ફૂલહાર ચડાવે તો એની પર રાગ નહીં. તો અંદર ચારિત્ર વર્તે છે એ નક્કી થઈ ગયું. આત્મજ્ઞાની પુરુષનું ચારિત્ર જોશો તો બહુ છે. આ નવી જ જાતનું ચારિત્ર છે. તે ચારિત્ર જ જોયા કરવાનું છે. આ શીખવા કરવાનું કશું નથી. જોયા કરો. જુઓ ને જાણો, જુઓ ને જાણો. - આ સમ્યક્ ચારિત્ર પછી કેવળચારિત્ર ઉત્પન્ન થશે. કેવળચારિત્ર હોય તેમાં આવું તેવું કશું કરવાનું ના હોય. સ્વ ને પર ભેગું ના થઈ જાય, એના માટે ઝાલી રાખવું પડે, એવું કેવળચારિત્રમાં ના હોય. પ્રશ્નકર્તા : એની મેળે સહજ થાય. દાદાશ્રી : સહજ રહે એ તો ચારિત્ર જ જુદું હોય છે. અને જ્યાં સુધી પરમાં જવાનું અટકાવવું એ સમ્યક્ ચારિત્ર કહેવાય. બેને ભેગું ના થઈ જવા દેવું એ સમ્યક્ ચારિત્ર. અને પેલું તો કેવળજ્ઞાનમય ચારિત્ર એ તો બહુ ઊંચી વસ્તુ હોય. ભેગું થઈ જવા દેવું એ મિથ્યા ચારિત્ર કહેવાય. ભેગું ના થવા દેવું એ સમ્યક્ ચારિત્ર અને કેવળજ્ઞાનીને કેવળચારિત્ર વર્તે. એમને આવું ભેગું ના થવા દેવું એવું તેવું અટકાવવાનું ના હોય. સમજ, અસ્તિત્વ તે ચારિત્ર તણી ! પ્રશ્નકર્તા ઃ અસ્તિત્વ અને ચારિત્ર આ બે વસ્તુ છે. લોકો દાખલા બધા ચારિત્રમાંથી લે છે, અસ્તિત્વની વસ્તુ જુદી રહે છે, તો આ બેનો ભેદ કેવી રીતે પાડવો ? દાદાશ્રી : એ ચારિત્ર એ કેવળજ્ઞાનનું ચારિત્ર નથી. આગલાં અવતારનું ચારિત્ર છે. ગત અવતારનું ચારિત્ર છે. આ જે દેખાય છે ચારિત્ર તે આ અવતારનું પરિણામ નથી એ. એટલે પૂર્ણ નથી એ. ચારિત્ર પૂર્ણ નથી. અસ્તિત્વ એમનું પૂર્ણ છે. વસ્તુત્વ પૂર્ણ છે ને પૂર્ણત્વરૂપે પૂર્ણ છે. મહાવીર ભગવાન આ જે આંખે દેખાયને, એ ચારિત્રને ચારિત્ર કહેતાં નથી. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ બધાં આંખે દેખાય નહીં એવી વસ્તુ છે. એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એ વસ્તુ. એટલે એ ચારિત્ર તો જુદું જ છે અને આ ચારિત્ર હતું, તે તો ગયા અવતારનું પરિણામ હતું. બધાનાં ચારિત્ર જે દેખાય છે, એ ગયા અવતારનાં પરિણામ છે અને અસ્તિત્વ બીજી જગ્યાએ હોય. અસ્તિત્વમાં ફૂલ સ્ટેશને હોય, ૧OO ઉપર હોય અને ચારિત્ર ૯૮ પર હોય. અસ્તિત્વ આ ભવનું છે અને ચારિત્ર પરભવનું છે. મોક્ષનો માર્ગ એક જ ! પ્રશ્નકર્તા : મોક્ષપ્રાપ્તિના માર્ગ જુદા જુદા હશે ? દાદાશ્રી : પ્રાપ્તિનો માર્ગ તો એક જ હોય છે, વિચારશ્રેણી જુદી જુદી હોય છે. પ્રકૃતિ જુદી જુદીને એટલે જુદી જુદી વિચારશ્રેણી પરથી ત્યાં લઈ જાય. પણ જ્ઞાન તો પ્રકાશ સ્વરૂપે એ જ. પ્રકાશમાં ફેર ના થાય. પ્રકાશ તો એ અનંત ચોવીસીઓ ગઈ ને તે પ્રકાશ હતો તેનો તે જ પ્રકાશ ચાલ્યો આવે. પ્રકાશમાં ફેર પડે નહીં. અને પ્રકાશમાં ફેર પડે તો અજ્ઞાન છે. એનો એ જ પ્રકાશ હોવો જોઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્ર એનું એ જ હોવું જોઈએ. આ ક્રમિકમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય અને અક્રમમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર હોય. પણ પ્રકાશ તેનો તે જ. કેવળજ્ઞાનનો પ્રકાશ એનો એ જ હોય. છેવટે પરિણામ શું આવવાનું ? ત્યારે કહે, કેવળજ્ઞાન. પરિણામ તેનું તે જ આવવાનું. આ અક્રમની રીત પુણ્યશાળી લોકોને પ્રાપ્ત થશે. બાકી આ રીત સહેલી ! યથાખ્યાત ચાસ્ત્રિ ! પ્રશ્નકર્તા : યથાખ્યાત ચારિત્ર એ શુકલધ્યાન છે ? દાદાશ્રી : શુક્લધ્યાન ઉત્પન્ન થાય એટલે આ બાજુ યથાખ્યાત
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy